ટંકારા ઓવરબ્રિજ પાસે એસટી બસને ટક્કર મારીને 50 હજારનું નુકશાન કરનારા ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકામાં વિદેશી દારૂની 4 રેડ, 14 બોટલ દારૂ સાથે 4 પકડાયા: હળવદના ગોલાસણ ગામેથી 1200 લિટર આથો ઝડપાયો હળવદના ચરડવા ગામ પાસે 1188 બોટલ દારૂ ભરેલ ઇનોવા ઝડપાઇ, કાર ચાલક ફરાર: 8.98 લાખનો મુદામાલ કબ્જે વાંકાનેરના પંચાસિયા ગામે પતિએ રસોઈ બાબતે ઠપકો આપતા મહિલાએ ઝેરી દવા પીને કર્યો આપઘાત મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા પરિવારની દીકરીની સગાઈ છૂટી કરવાની વાત આવતા ચિત્રોડી ગામે વાડીની ઓરડીમાં ઝેરી દવા પીને કર્યો આપઘાત ટંકારાના હીરાપર ગામ પાસે રીક્ષાને કાર ચાલકે હડફેટે લેતા બે મહિલા સહિત ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીના રંગપર પાસે બાઈક સ્લીપ થતાં ઇજાગ્રસ્ત થયેલા બે પૈકી એક યુવાનનું મોત: એક સારવારમાં વાંકાનેરના મહિકા ગામે આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર ખાતે ડિઝીટલ એક્ષ રે કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી માળીયાના ૧૩ ગામના રસ્તા ૧૯.૩૦ કરોડના ખર્ચે મંજુર કરાવતા મંત્રી બ્રિજેશભાઈ મેરજા


SHARE













મોરબી માળીયાના ૧૩ ગામના રસ્તા ૧૯.૩૦ કરોડના ખર્ચે મંજુર કરાવતા મંત્રી બ્રિજેશભાઈ મેરજા

મોરબી માળીયાના ધારાસભ્ય અને રાજયમંત્રી બ્રિજેશ મેરજાએ પોતાના મત વિસ્તાર માટે જુદાજુદા રસ્તાઓની જરૂરીયા હતી જુથી કરીને માર્ગ અને મકાન વિભાગની સ્થાની કકચેરીમાં તેની રજૂઆત કરવામાં આવી હતી અને મુખ્ય ઈજનેર સાથે સતત પરામર્શ કરી દરખાસ્ત કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ૧૯.૩૦ કરોડના ખર્ચે ૧૩ ગ્રામ્ય રસ્તાઓ મંજુર કરવામાં આવેલ છે

મોરબી માળીયાની ધારાસભ્ય અને રાજયમંત્રી બ્રિજેશ મેરજામોરબી અને માળીયા તાલુકામા જુદાજુદા ૧૩ રસ્તાના કામ માટે સ્થાનિક અધિકારીને રજૂઆત કરી હતી જેમાં નેશનલ હાઈવેથી સાદુળકા, મોરબી જેતપર સ્ટેટ હાઈવેથી મોરબી હળવદ સ્ટેટ હાઈવેને જોડતો રસ્તો, નેશનલ હાઈવેથી પીલુડી રોડ, નેશનલ હાઈવેથી મધુપુર એપ્રોચ રોડ, ભક્તિનગરથી કેનાલ રોડ, 6)રંગપરથી શનાળા(ત) રોડ, વવાણીયા બાયપાસ રોડ (ચમનપર ચોકડીથી વર્ષામેડી ચોકડી રોડ), ચમનપર જોઈનીંગ ટૂ વવાણીયા-બગસરા રોડ, મોટા દહિંસરાથી ખીરસરા(સ્ટેટ હાઈવે સુધી) રોડ, મોટા દહિંસરના વિવેકાનંદ રેલ્વે ફાટકથી બુધિયાસરી મેલડી માતાજીના મંદિર સુધીનો રસ્તો, કુંભારીયા ગામે કેનાલથી શીતળા માતાના મંદીર સુધીનો રસ્તો, જીકીયાળીથી ઘોડા(ધ્રોઈ) ડેમ સુધીનો રસ્તો, અને રાજકોટ મોરબી સ્ટેટ હાઇવેથી નવયુગ સંકુલ રોડ સુધીનો રસ્તો ખાસ કિસ્સામાં મંજુર કરાવેલ છે જેના માટે રાજયકક્ષાના માર્ગ અને મકાન મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા(પંચાલ)ને રજૂઆત કરતાં ૧૯.૩૦ કરોડના રસ્તાઓ મંજુર કરાવવામાં બ્રિજેશ મેરજાને સફળતા મળી છે. રસ્તાના કામ સિવાય સિંચાઈ, વિજળી, ઉધોગ, પાણી પુરવઠા સહિત મોરબી શહેરના અનેક કામો માટે મંત્રી સતત જહેમત ઉઠાવતા રહે છે.






Latest News