મોરબી : માળીયા મીંયાણાના વાંઢ વિસ્તારમાં ઢોર ચરાવવા બાબતે થયેલ ડખ્ખામાં માતા-પુત્રની લોથ ઢળી
મોરબીના કેરાળી નજીકથી અજાણ્યા યુવાનની સળગાવેલી લાશ મળેલ તેમાં હત્યાનો ગુનો નોંધાયો
SHARE
મોરબીના કેરાળી નજીકથી અજાણ્યા યુવાનની સળગાવેલી લાશ મળેલ તેમાં હત્યાનો ગુનો નોંધાયો
મોરબી તાલુકાના કેરાળી ગામ પાસેથી અજાણ્યા વ્યક્તિની સળગાવેલી હાલતમાં લાશ મળી આવી છે જેથી તે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખાતે મોકલવામાં આવ્યો હતો અને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા હત્યાની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અજાણ્યા શખ્સની સામે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તેમજ મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરેલ છે
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઈ આઈ.એમ. અજમેરી દ્વારા હત્યાની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી તાલુકાના કેરાળી ગામ પાસે અજાણ્યા વ્યક્તિની સળગાવેલી હાલતમાં થોડા દિવસો પહેલા લાશ મળી હતી જેથી કરીને મૃતદેહને પીએમ માટે પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે અને ત્યાંથી ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈએ જવામાં આવી હતી અને ડોક્ટરના અભિપ્રાય મુજબ મૃતકને માથાના ભાગે બોથડ પદાર્થ મારીને તેની હત્યા કરવામાં આવી છે અને ત્યાં બાદ તેની લાશને સળગાવવામાં આવી છે જેથી કરીને પીએસઆઇ દ્વારા અજાણ્યા શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યાની ફરિયાદ નોંધવામાં આવી છે અને મૃતક વ્યક્તિ કોણ છે તેની ઓળખ મેળવવા માટે પણ પોલીસે તજવીજ શરૂ કરી છે