ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી : માળીયા મીંયાણાના વાંઢ વિસ્તારમાં ઢોર ચરાવવા બાબતે થયેલ ડખ્ખામાં માતા-પુત્રની લોથ ઢળી


SHARE













મોરબી : માળીયા મીંયાણાના વાંઢ વિસ્તારમાં ઢોર ચરાવવા બાબતે થયેલ ડખ્ખામાં માતા-પુત્રની લોથ ઢળી

મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થા ખાડે ગયેલી હોય તેવા બનાવો વારંવાર બને છે જેમાં વધુ એક ડબલ મર્ડરના બનાવનો ઉમેરો થયો છે.જેમાં મોરબીના માળિયા મીંયાણા તાલુકામાં આવેલા કોઇબા વાંઢ વિસ્તારની અંદર ઢોર ચરાવવા જેવી નજીવી બાબતે ભત્રીજા દ્વારા તિક્ષ્ણ હથીયાર વડે કરવામાં આવેલા હુમલામાં માતા અને પુત્ર એમ બે ની લોથ ઢળતા મામલો ડબલ મર્ડરમાં પલટાયો હતો હાલ બનાવને પગલે પોલીસ કાફલો બનાવ સ્થળે અને મોરબી સિવિલે પહોંચ્યો હતો અને બનાવની આગળની તજવીજ શરૂ કરવામાં આવેલ છે.

ઉપરોક્ત બનાવની મોરબી સિવિલ હોસ્પીટલે એકત્રીત થયેલ લોકો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ માળીયા મીંયાણા તાલુકાના કોઈબા વાંઢ વિસ્તારમાં ઢોર ચરાવવા બાબતે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં કૌટુંબિક ભત્રીજા શાહરૂખ મોવર નામના હુમલાખોર દ્રારા તેની કૌટુંબીક કાકી ઝરીનાબેન યુસુબભાઇ મોવર (ઉમર ૫૦) અને કાકાના દીકરા ભાઈ હબીબ યુસુબભાઇ મોવર (ઉમર ૨૦) એમ માતા-પુત્ર ઉપર તીક્ષ્ણ હથીયાર વડે હુમલો કર્યો હતો.જેથી કરીને ઝરીનાબેન મોવર અને હબીબ મોવર બંનેના મોત નિપજયા હતા અને બેવડી હત્યાના બનાવમાં માતા-પુત્રના મૃતદેહને પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાંથી યુવાન હબીબભાઇના મૃતદેહને પીએમ માટે પુન: માળિયા લઈ ગયા છે જોકે મહિલા ઝરીનાબેનનો મૃતદેહ હાલમાં મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવેલ છે.ડબલ હત્યાના આ બનાવની માળિયા મીંયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો હાલમાં ઘટના સ્થળે પહોંચ્યો છે અને આ બેવડી હત્યાના બનાવમાં ફરિયાદ લેવા માટે અને આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. morbitoday.com






Latest News