મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં ૫૦૦ ખેલૈયાઓ લીધો દેહદાન-અંગદાનનો સંકલ્પ


SHARE







મોરબીના સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં ૫૦૦ ખેલૈયાઓ લીધો દેહદાન-અંગદાનનો સંકલ્પ

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શહીદ ભગતસિંહના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી અને સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં શહીદ ભગતસિંહના જન્મ દિવસે ૫૦૦ ખેલૈયાઓ દ્વારા અંગદાન તેમજ દેહદાનનો સંકલ્પ કરવામાં આવેલ છે જેને રાજયના મંત્રીએ બિરદાવેલ છે

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા તમામ સમાજના લોકો એકસાથે રાસ ગરબે રમી શકે તેવુ સંકલ્પ નવરાત્રિનું લીલાપર- કેનાલ રોડ પર આવેલ  કેશવ પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમામ સમાજની મહિલાઓ માટે ફ્રી એન્ટ્રી આપવામાં આવે છે અને ત્યાં મોટી સંખ્યા ખેલૈયાઓ પ્રાચીન અને અર્વાચીન ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. દરમ્યાન આઝાદી માટે પ્રાણની આહુતિ આપનાર શહીદ ભગતસિંહના જન્મ દિવસની સંકલ્પ દિવસ તરીકે ઉજવણી કરવાનૂ નક્કી કરવામાં આવ્યું હતું અને ત્રીજા નોરતે સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઇ રબારી સહિતનાઓ દ્વારા શહીદ ભગતસિંહના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે કેક કટિંગ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ અંગદાન અને દેહદાન કરવા માટેનો સંકલ્પ લેવામાં આવ્યો હતો જેમાં ૫૦૦ જેટલા ખેલૈયાઓ દ્વારા આ સંકલ્પ લેવામાં આવ્યો હતો જેથી કરીને મોરબી માળીયાના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ અંગદાન અને દેહદાન કરવાના સંકલ્પને બિરદાવયો હતો






Latest News