ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં ૫૦૦ ખેલૈયાઓ લીધો દેહદાન-અંગદાનનો સંકલ્પ


SHARE













મોરબીના સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં ૫૦૦ ખેલૈયાઓ લીધો દેહદાન-અંગદાનનો સંકલ્પ

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શહીદ ભગતસિંહના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી અને સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં શહીદ ભગતસિંહના જન્મ દિવસે ૫૦૦ ખેલૈયાઓ દ્વારા અંગદાન તેમજ દેહદાનનો સંકલ્પ કરવામાં આવેલ છે જેને રાજયના મંત્રીએ બિરદાવેલ છે

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા તમામ સમાજના લોકો એકસાથે રાસ ગરબે રમી શકે તેવુ સંકલ્પ નવરાત્રિનું લીલાપર- કેનાલ રોડ પર આવેલ  કેશવ પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમામ સમાજની મહિલાઓ માટે ફ્રી એન્ટ્રી આપવામાં આવે છે અને ત્યાં મોટી સંખ્યા ખેલૈયાઓ પ્રાચીન અને અર્વાચીન ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. દરમ્યાન આઝાદી માટે પ્રાણની આહુતિ આપનાર શહીદ ભગતસિંહના જન્મ દિવસની સંકલ્પ દિવસ તરીકે ઉજવણી કરવાનૂ નક્કી કરવામાં આવ્યું હતું અને ત્રીજા નોરતે સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઇ રબારી સહિતનાઓ દ્વારા શહીદ ભગતસિંહના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે કેક કટિંગ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ અંગદાન અને દેહદાન કરવા માટેનો સંકલ્પ લેવામાં આવ્યો હતો જેમાં ૫૦૦ જેટલા ખેલૈયાઓ દ્વારા આ સંકલ્પ લેવામાં આવ્યો હતો જેથી કરીને મોરબી માળીયાના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ અંગદાન અને દેહદાન કરવાના સંકલ્પને બિરદાવયો હતો






Latest News