ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાંથી વતનમાં જવાની બાબતે પતિ સાથે બોલાચાલી થતાં પરિણીતાએ કર્યો આપઘાત


SHARE













વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાંથી વતનમાં જવાની બાબતે પતિ સાથે બોલાચાલી થતાં પરિણીતાએ કર્યો આપઘાત

વાંકાનેર તાલુકાની હદમાં આવતા સરતાનપર રોડ ઉપર કારખાનાની લેબર કવાર્ટરમાં પરણીતાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને મૃતક મહિલાના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે પતિ અને પત્ની વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી જે બાબતને લઈને પરણીતાએ આપઘાત કર્યો હોવાનું હાલમાં પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાની હદમાં આવતા સરતાનપર રોડ ઉપર આવેલ સંસ્કાર ઝોન્સ સીરામીકના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા રોહિતદાસ નારવેના પત્ની સુનિતાબેન નારવે (ઉંમર ૧૯) એ લેબર ક્વાર્ટરની અંદર ગળાફસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની વાંકાનેર તાલુકા પોલીન્ને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી પ્રમાણે મૃતક પરણીતાએ ત્રણ વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરેલ છે અને પતિ-પત્ની વચ્ચે વતનમાં જવા બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ પરણીતાને લાગી આવતા તેણે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનું મૃતક મહિલાના પતિએ જણાવ્યુ છે

રિક્ષામાંથી પડી જતા ઇજા

મોરબીના માળિયા મીંયાણા તાલુકાના જુના ઘાંટીલા ગામે રહેતો અનિલ ગુલાબભાઈ ઉપાસરિયા નામનો ૩૨ વર્ષનો યુવાન જૂના ઘાંટીલા ગામે છકડો રિક્ષામાં જતો હતો ત્યાં તે રિક્ષામાંથી નીચે પડી જતા ઈજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો જેથી કરીને એ ડિવિઝન પોલીસમાં મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા તપાસ કરીને બનાવ અંગે માળિયા પોલીસને જાણ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના માળિયા મીંયાણા તાલુકાના ખાખરેચી ગામ પાસે બાઈક સ્લીપ થઈ જવાના અકસ્માત બનાવમાં મોરબીના સબજેલ ચોક સામેના વિસ્તારમાં રહેતા મનોજભાઇ પ્રેમજીભાઈ સોલંકી નામના ૪૧ વર્ષીય યુવાને ઇજાઓ થતા તેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.






Latest News