મોરબીના નર્મદા બાલઘર દ્વારા વાંકાનેરની ૪૦ શાળાઓને થ્રીડી પ્રિન્ટર અને વીઆર ગ્લાસનું વિતરણ-તાલીમ અપાઇ
SHARE
મોરબીના નર્મદા બાલઘર દ્વારા વાંકાનેરની ૪૦ શાળાઓને થ્રીડી પ્રિન્ટર અને વીઆર ગ્લાસનું વિતરણ-તાલીમ અપાઇ
મોરબીના નર્મદા બાલઘર દ્વારા ગાયત્રી મંદિર-વાંકાનેર ખાતે ૪૦ શાળાઓને થ્રીડી પ્રિન્ટર તથા વીઆર ગ્લાસ વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા.વિનામૂલ્યે આપવાનો મુખ્ય હેતુ શિક્ષણ અને શિક્ષકોને સશક્ત બનાવવાનો છે. ફ્રી માં વિતરણ તથા તાલીમનો મુખ્ય હેતુ એ હતો કે શિક્ષકો થ્રીડી પ્રિન્ટરને ઍસેમ્બલ કરતાં શીખે, સીએડીની ડિઝાઇન બનાવતા શીખે તેનો ઉપયોગ કરતાં શીખે અને હજારો બાળકોને ટેકલોનોલોજીનું જ્ઞાન પ્રાપ્ત કરાવે અને પોતાની રીતે પગભર બનવા માટે મદદરૂપ થાય.ટૂંક સમયમાં મોરબી જિલ્લાના તમામ બાળકો માટે સીએડીની સ્પર્ધા કરવામાં આવશે અને સાથે આવનારી ટેકનોલોજીનું રોજિંદા જીવનમાં ઉપયોગ ઉપર મોરબી જિલ્લાના શિક્ષકો વચ્ચે પણ સ્પર્ધા કરવામાં આવશે જેમાં આકર્ષક ઇનામો પણ આપવામાં આવશે.આ કાર્યક્રમના મુખ્ય અતિથિપદે ડૉ.ભાનુબેન મહેતા અને તેમના પુત્ર દેવેશ મહેતા, નર્મદા બાલ ઘરના ફાઉન્ડર ટ્રસ્ટી ભરતભાઈ મહેતા, મારવાડી યુનિવર્સિટીના ડીન ડૉ.આર.બી.જાડેજા, ડૉ.બળવંત જાની, ડૉ.અનામીક શાહ, રાજકોટ સાયન્સ સેન્ટરના રમેશભાઈ ભાયાણી, રાજકોટ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના પ્રમુખ ડૉ.ડી.વી.મહેતા, સ્પીપા લેક્ચરર વિવેક જોશી, બાલઘરના ટ્રસ્ટી જયેશ ઓઝા અને વાંકાનેરની ૪૦ શાળાઓના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.