ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના નર્મદા બાલઘર દ્વારા વાંકાનેરની ૪૦ શાળાઓને થ્રીડી પ્રિન્ટર અને વીઆર ગ્લાસનું વિતરણ-તાલીમ અપાઇ


SHARE













મોરબીના નર્મદા બાલઘર દ્વારા વાંકાનેરની ૪૦ શાળાઓને થ્રીડી પ્રિન્ટર અને વીઆર ગ્લાસનું વિતરણ-તાલીમ અપાઇ

મોરબીના નર્મદા બાલઘર દ્વારા ગાયત્રી મંદિર-વાંકાનેર ખાતે ૪૦ શાળાઓને થ્રીડી પ્રિન્ટર તથા વીઆર ગ્લાસ વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા.વિનામૂલ્યે આપવાનો મુખ્ય હેતુ શિક્ષણ અને શિક્ષકોને સશક્ત બનાવવાનો છે. ફ્રી માં વિતરણ તથા તાલીમનો મુખ્ય હેતુ એ હતો કે શિક્ષકો થ્રીડી પ્રિન્ટરને ઍસેમ્બલ કરતાં શીખે, સીએડીની ડિઝાઇન બનાવતા શીખે તેનો ઉપયોગ કરતાં શીખે અને હજારો બાળકોને  ટેકલોનોલોજીનું જ્ઞાન પ્રાપ્ત કરાવે અને પોતાની રીતે પગભર બનવા માટે મદદરૂપ થાય.ટૂંક સમયમાં મોરબી જિલ્લાના તમામ બાળકો માટે સીએડીની સ્પર્ધા કરવામાં આવશે અને સાથે આવનારી ટેકનોલોજીનું રોજિંદા જીવનમાં ઉપયોગ ઉપર મોરબી જિલ્લાના શિક્ષકો વચ્ચે પણ સ્પર્ધા કરવામાં આવશે જેમાં આકર્ષક ઇનામો પણ આપવામાં આવશે.આ કાર્યક્રમના મુખ્ય અતિથિપદે ડૉ.ભાનુબેન મહેતા અને તેમના પુત્ર દેવેશ મહેતા, નર્મદા બાલ ઘરના ફાઉન્ડર ટ્રસ્ટી ભરતભાઈ મહેતા, મારવાડી યુનિવર્સિટીના ડીન ડૉ.આર.બી.જાડેજા, ડૉ.બળવંત જાની, ડૉ.અનામીક શાહ, રાજકોટ સાયન્સ સેન્ટરના રમેશભાઈ ભાયાણી, રાજકોટ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના પ્રમુખ ડૉ.ડી.વી.મહેતા, સ્પીપા લેક્ચરર વિવેક જોશી, બાલઘરના ટ્રસ્ટી જયેશ ઓઝા અને વાંકાનેરની ૪૦ શાળાઓના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News