મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો ભાજપના સભ્યોમાં ગણગણાટ: મોરબી મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાંથી હટાવવામાં આવેલા પાંચેય સભ્યોને ચેરમેન પદની લ્હાણી કેમ ?, બીજા કોઈ લાયક નથી ! રોટરી ક્લબ ઓફ મોરબીના પ્રમુખ પદે હુઝૈફાભાઈ લાકડાવાલા-સેક્રેટરી પદે સોનલબેન શાહની વરણી મોરબી જે.એલ.મહેતા વિદ્યાલય ખાતે ગાયત્રી પરિવાર દ્વારા વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો લોકોના આરોગ્ય સાથે ખુલ્લે આમ ચેડાં ?: મોરબીમાં ફાસ્ટફૂડ-હોટલમાંથી ફૂગ વાળા પીઝા રોટલા, વસી નુડલ્સ, ભાત અને મંચુરિયનનો જથ્થો મળ્યો ! મોરબીમાં નંદીઘરના સંચાલન બનાવવામાં આવેલ મોનિટરિંગ ટીમ બરખાસ્ત્ત !: હવે આરોગ્ય ચેરમેનને જવાબદારી સોપાઈ મોરબી જિલ્લામાં શનિવારથી નારી વંદન સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાશે મોરબીના મકનસર ખાતે પાકિસ્તાની નાગરિકો માટે એલ.ટી.વી. રીન્યુઅલ અને સિટીઝનશિપ કામગીરી અર્થે શનિવારે ખાસ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મોરબીના વિવિધ નવરાત્રી મહોત્સવોમાં ઉપસ્થિત રહી માઁ અંબાના આશીર્વાદ મેળવ્યા


SHARE







રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મોરબીના વિવિધ નવરાત્રી મહોત્સવોમાં ઉપસ્થિત રહી માઁ અંબાના આશીર્વાદ મેળવ્યા

નવરાત્રિના પર્વ નિમિત્તે શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ, પંચાયત (સ્વતંત્ર હવાલો, ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ) રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા બુધવારે “માઁ નવરાત્રી” મહોત્સવ, “શક્તિધામ નવરાત્રી” મહોત્સવ, "ઉમિયા નવરાત્રી" મહોત્સવ, “સંકલ્પ નવરાત્રી” મહોત્સવ અને “પાટીદાર નવરાત્રી” મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા.

મોરબીની સુપ્રસિદ્ધ ઉમિયા નવરાત્રી મહોત્સવની મુલાકાત વેળાએ મંત્રી મેરજા દ્વારા માતાજીની આરતી અને પૂજન કરવામાં આવ્યું હતું આ વેળાએ આયોજક અને અગ્રણી અનીલભાઇ વરમોરાના હસ્તે મંત્રી બ્રીજેશ મેરજાનું સન્માન કરાયુ હતુ.તે ઉપરાંત સંકલ્પ નવરાત્રી મહોત્સવની પણ બ્રીજેશભાઇએ મુલાકાત લીધી હતી જેના આયોજક એવા યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઇ રબારી દ્રારા સ્વાગત સન્માન કરવામાં આવ્યુ હતું.આ વેળાએ શૈલેષભાઇ રાવલ, શશાંકભાઇ દંગી, દુર્લભજીભાઇ દેથરીયા, હિરાભાઇ ટમારીયા, અરવિંદભાઇ વાંસદડીયા, જિગ્નેશભાઇ કૈલા વગેરે જોડાયા હતા.બાદમાં પાટીદાર નવરાત્રી મહોત્સવની મુલાકાત વેળાએ મંત્રી બ્રીજેશ મેરજાનું આયોજક અજયભાઇ લોરિયા દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે સામાકાંઠે માઁ નવરાત્રી મહોત્સવના આયોજનમાં સહભાગી થયેલા મંત્રી બ્રિજેશભાઇ મેરજાનું નગરપાલિકાના ઉપપ્રમુખ અને આયોજક જયરાજસિંહ જાડેજા તેમજ તેમના ભાઇ મહાવીરસિંહ જાડેજા અને અજયસિંહ જાડેજાના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.આ વેળાએ સુરેશભાઇ સીરોયા, મનુભાઇ બરાસરા સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News