મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં હિમેશ રેશમિયા-ખજૂરભાઈ રમઝટ બોલાવશે: ઠેરઠેર નાટક યોજાશે


SHARE







મોરબીમાં હિમેશ રેશમિયા-ખજૂરભાઈ રમઝટ બોલાવશે: ઠેરઠેર નાટક યોજાશે

મોરબીમાં સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા શહીદ પરિવારોના લાભાર્થે પાટીદાર નવરાત્રી મહોત્સવનું અજયભાઈ લોરીયા અને તેની ટીમે આયોજન કર્યું છે જેમાં ખેલૈયાઑ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે ત્યારે તા. ૧ ઓક્ટોબરના રોજ હિમેશ રેશમિયા આવશે અને મોરબીના ખેલૈયાને મોજ કરાવશે

કૃષ્ણલીલાનું આયોજન

મોરબીની મહેન્દ્રનગર ગામે આવેલ રોયલ પાર્કની સામે પ્રભુકૃપા રેસિડેન્સીમાં તા. ૩૦ ના રોજ રાત્રે ૯:૩૦ કલાકે કાનગોપી (કૃષ્ણલીલા)નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોલકી ગામનું કાન ગોપી ગ્રૂપ રમવા આવશે. જેથી કરીને લોકોને આવવા માટે નવદુર્ગા યુવક મંડળ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે

ન્યુ ચંદ્રેશમાં નાટક યોજાશે

મોરબીની ન્યુ ચંદ્રેશ સોસાયટીમાં તા. ૧ ઓક્ટોબરને શનિવારે છઠ્ઠા નોરતે નાટક “મચ્છુ તારા વહેતા પાણી”નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબીનો ઇતિહાસ રજૂ કરાશે. આ ઉપરાંત હાસ્ય કોમિક માણકીની માથાકૂટ પણ રજૂ કરવામાં આવશે. જેથી લોકોને  તેનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવેલ છે






Latest News