ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

ટંકારાના વાછકપર ગામે સીમમાંથી સગીરાનું અપહરણ


SHARE













ટંકારાના વાછકપર ગામે સીમમાંથી સગીરાનું અપહરણ

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલા વાછકપર ગામની સીમમાં ખેત મજૂરીનું કામ કરવા આવેલા મૂળ મધ્યપ્રદેશના પરિવારની સગીરવયની દીકરીનું લલચાવી ફોસલાલીને બદકામના ઇરાદે અપહરણ કરવામાં આવ્યું હોય પોલીસ દ્વારા ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

ટંકારા તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશનો મજુર પરિવાર ટંકારા તાલુકાના વાછકપર ગામની સીમમાં ખેત મજૂરી કરવા માટે આવ્યો હોય અને અહીં બાજુમાં આવેલા કોઠારીયા ગામની સીમમાં રહેતો અને મૂળ દાહોદ પંથકનો રાજુ વીરસિંગ મુંદવાડા નામનો ઇસમ એમપીના મજુર પરિવારની સગીરવયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી ગયો હોય હાલ ભોગ બનેલ પરિવાર દ્વારા ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે રાજુ વીરસિંગ મુંદવાડા નામના શખ્સની સામે અપહરણ અને પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે જેની તપાસ સીપીઆઈ બી.પી.સોનારા ચલાવી રહ્યા છે.

આરોપી પકડાયો

અમદાવાદ જીલ્લાના વિરમગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મારામારી અને ધમકીના ગુનાનો આરોપી અમિત જયંતિ ઠાકોર રહે.બાવળા તાલુકો વિરમગામ હાલ રહે.મોરબી ખત્રીવાડ વાળો મોરબી હોવાની બાતમી મળી હતી જેથી કરીને વિરમગામ પોલીસ દ્વારા મોરબી આવીને મોરબીના ખત્રીવાડ વિસ્તારમાંથી અમિત જયંતિ ઠાકોર નામના ઇસમની મારામારી અને ધમકી આપવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી તાલુકાના ચાંચાપર ગામે રહેતો લલિત અરજણભાઈ ચૌહાણ નામનો ૧૯ વર્ષનો યુવાન બાઈક લઈને રાજપર રોડ ઉપરથી જતો હતો ત્યારે સતનામ જીનની પાસે થયેલ વાહન અકસ્માતના બનાવમાં તેને ઇજાઓ થઈ હતી જેથી રાજકોટ ખસેડાયો હતો અને બાદમાં તેને હાલ રાજકોટ ખાતેથી અત્રેની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો છે.






Latest News