મોરબીમાં આવેલ જીઆઇડીસીમાં ડેરીની અંદર દૂધ ગરમ કરવાના બોઇલરમાં થયો બ્લાસ્ટ: એકને ઇજા ટંકારા ઓવરબ્રિજ પાસે એસટી બસને ટક્કર મારીને 50 હજારનું નુકશાન કરનારા ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકામાં વિદેશી દારૂની 4 રેડ, 14 બોટલ દારૂ સાથે 4 પકડાયા: હળવદના ગોલાસણ ગામેથી 1200 લિટર આથો ઝડપાયો હળવદના ચરડવા ગામ પાસે 1188 બોટલ દારૂ ભરેલ ઇનોવા ઝડપાઇ, કાર ચાલક ફરાર: 8.98 લાખનો મુદામાલ કબ્જે વાંકાનેરના પંચાસિયા ગામે પતિએ રસોઈ બાબતે ઠપકો આપતા મહિલાએ ઝેરી દવા પીને કર્યો આપઘાત મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા પરિવારની દીકરીની સગાઈ છૂટી કરવાની વાત આવતા ચિત્રોડી ગામે વાડીની ઓરડીમાં ઝેરી દવા પીને કર્યો આપઘાત ટંકારાના હીરાપર ગામ પાસે રીક્ષાને કાર ચાલકે હડફેટે લેતા બે મહિલા સહિત ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીના રંગપર પાસે બાઈક સ્લીપ થતાં ઇજાગ્રસ્ત થયેલા બે પૈકી એક યુવાનનું મોત: એક સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના રણછોડનગરમાં લાઇટ, પાણી, રસ્તા, ગટરની સુવિધા માટે સીએમને રજૂઆત


SHARE













મોરબીના રણછોડનગરમાં લાઇટ, પાણી, રસ્તા, ગટરની સુવિધા માટે સીએમને રજૂઆત

મોરબી નગરપાલિકામાં આવતા રણછોડનગર વિસ્તારમાં આંતરિક  રસ્તાઓ, ભૂગર્ભગટર અને સફાઈ સહિતની પ્રાથમિક સુવિધાઓ લોકોને મળી રહી નથી જેથી કરીને મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ આ મુદે સીએમને રજૂઆત કરેલ છે

 મોરબી નગરપાલિકામાં આવતા અને રણછોડનગર નામે જાણીતા વિસ્તારમાં આજે ૩૦ વર્ષ પછી પણ લોકોને ટેક્ષ ભરતા હોવા છતાં પણ પાલિકા દ્વારા સારી પ્રાથમિક સુવિધા આપવામાં આવી રહી નથી જેમાં ખાસ કરીને પીવાનું પાણી ખુબ જ અનિયમિત આવે છે, સફાઈની તો કોઈ વાત જ નથી, અને આંતરીક રોડ જ નથી બનાવ્યા, સ્ટ્રીટ લાઈટો પણ ચાલતી નથી માટે લોકોને હેરાન થવું પડે છે વધુમાં તેઓએ એવો આક્ષેપ કરેલ છે કે, સ્થાનિક  કાઉન્સીલરોને તો પોતાનું તરભાણું ભરાય તેમા જ રસ છે. ચાલુ ધારાસભ્ય અને રાજ્ય ના મંત્રીને પણ આ વિસ્તાર દેખાતો નથી તો માજી ધારાસભ્ય પણ આ બાબતે કોઈ વાત કરતા નથી ! માટે આ વિસ્તારના લોકો સાથે ઓરમાયું વર્તન કેમ કરવામાં આવે છે તે સૌથી મોટો સવાલ છે અને આ વિસ્તારના લોકોને સારા રસ્તા, ભૂગર્ભ ગટરની વ્યવસ્થા, સફાઈ, પાણી સહિતની સુવિધા આપવા માટે જરૂરી આદેશ કરવામાં આવે તેવી માંગ કરેલ છે અને જો સુવિધાઓ નહિ આપવામાં આવે તો લોકોને સાથે રાખીને ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે






Latest News