મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીના રણછોડનગરમાં લાઇટ, પાણી, રસ્તા, ગટરની સુવિધા માટે સીએમને રજૂઆત


SHARE













મોરબીના રણછોડનગરમાં લાઇટ, પાણી, રસ્તા, ગટરની સુવિધા માટે સીએમને રજૂઆત

મોરબી નગરપાલિકામાં આવતા રણછોડનગર વિસ્તારમાં આંતરિક  રસ્તાઓ, ભૂગર્ભગટર અને સફાઈ સહિતની પ્રાથમિક સુવિધાઓ લોકોને મળી રહી નથી જેથી કરીને મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ આ મુદે સીએમને રજૂઆત કરેલ છે

 મોરબી નગરપાલિકામાં આવતા અને રણછોડનગર નામે જાણીતા વિસ્તારમાં આજે ૩૦ વર્ષ પછી પણ લોકોને ટેક્ષ ભરતા હોવા છતાં પણ પાલિકા દ્વારા સારી પ્રાથમિક સુવિધા આપવામાં આવી રહી નથી જેમાં ખાસ કરીને પીવાનું પાણી ખુબ જ અનિયમિત આવે છે, સફાઈની તો કોઈ વાત જ નથી, અને આંતરીક રોડ જ નથી બનાવ્યા, સ્ટ્રીટ લાઈટો પણ ચાલતી નથી માટે લોકોને હેરાન થવું પડે છે વધુમાં તેઓએ એવો આક્ષેપ કરેલ છે કે, સ્થાનિક  કાઉન્સીલરોને તો પોતાનું તરભાણું ભરાય તેમા જ રસ છે. ચાલુ ધારાસભ્ય અને રાજ્ય ના મંત્રીને પણ આ વિસ્તાર દેખાતો નથી તો માજી ધારાસભ્ય પણ આ બાબતે કોઈ વાત કરતા નથી ! માટે આ વિસ્તારના લોકો સાથે ઓરમાયું વર્તન કેમ કરવામાં આવે છે તે સૌથી મોટો સવાલ છે અને આ વિસ્તારના લોકોને સારા રસ્તા, ભૂગર્ભ ગટરની વ્યવસ્થા, સફાઈ, પાણી સહિતની સુવિધા આપવા માટે જરૂરી આદેશ કરવામાં આવે તેવી માંગ કરેલ છે અને જો સુવિધાઓ નહિ આપવામાં આવે તો લોકોને સાથે રાખીને ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે






Latest News