મોરબીની ઉમિયા નવરાત્રિમાં શનિવારે દેશના જાણીતા સિંગર કૈલાશ ખેર ધૂમ મચાવશે
SHARE
મોરબીની ઉમિયા નવરાત્રિમાં શનિવારે દેશના જાણીતા સિંગર કૈલાશ ખેર ધૂમ મચાવશે
મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી નોરતામાં શ્રી ઉમિયા નવરરાત્રિ મહોત્સવનું મોરબીના ઉદ્યોગકારોની ટીમ દ્વારા આયોજન કરવામાં આવે છે આવી જ રીતે ચાલુ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે અને શનિવારે રાતે દેશના જાણીતા સિંગર કૈલાશ ખેર આવવાના છે અને તે સૂમ મચાવશે અને આગામી દિવસોમાં હજુ પણ ભરચક કાર્યક્રમ આપવામાં આવશે તેવું આયોજકોએ જણાવ્યુ છે
મોરબીમાં શ્રી ઉમિયા નવરરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં છેલ્લા ચાર નોરતાથી ખેલૈયાઓ ધૂમ મચાવી રહ્યા છે ત્યારે ખેલૈયાઓને વધુ મોજ કરાવવા માટે શ્રી ઉમિયા નવરરાત્રિ મહોત્સવની ટીમે આયોજન કર્યું છે તેની માહિતી આપવા માટે પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં અનિલભાઈ વરમોરા, હસુભાઈ પટેલ સહિતના હાજર રહ્યા હતા અને જણાવ્યુ હતું કે, શનિવારે રાતે દેશના જાણીતા સિંગર કૈલાશ ખેર મોરબી આવી રહ્યા છે અને ખેલૈયાઓને તેના સ્યોર ડોલાવશે આ ઉપરાંત બીજી તારીખે કિર્તિ સગઠિયા, ત્રીજી તારીખે સચિન જિગર અને સચેત પરંપરા સાથે વાત ચાલી રહી છે તે મોરબીના ખેલૈયાઓને ગરબે રમાડવા માટે આવશે અને તેની સાથે ગ્રીન રિવોલ્યુએશનનું લોંચિંગ પણ રાખવામા આવ્યું છે