આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર ગામે વાહન ઉપર લખેલ 'જય ભીમ' કાઢી નાખવાનું કહીને યુવાન ઉપર હુમલો


SHARE













મોરબીના પંચાસર ગામે વાહન ઉપર લખેલ 'જય ભીમ' કાઢી નાખવાનું કહીને યુવાન ઉપર હુમલો

મોરબી તાલુકાના પંચાસર ગામે ગઈકાલે રાત્રિ દરમિયાન ઝઘડો થયો હતો જેમાં યુવાન ઉપર બોલાચાલી કર્યા બાદ ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોય આ અંગે પંચાસર ગામના લોકો પોલીસ મેથકે આવ્યા હતા અને યુવાનના વાહનના કાચ ઉપર લખેલ "જય ભીમ" ને કાઢી નાંખવાનું કહીને તેની સાથે ઝઘડો કર્યા બાદ હુમલો કરવામાં આવ્યો હતો જેથી ભોગ બનેલ યુવાન દ્રારા ફરિયાદ કરવામાં આવતા તાલુકા પોલીસે હાલમાં એક શખ્સ સામે ફરિયાદ નોંધીને આગળની તજવીજ હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબી નજીકના પંચાસર ગામે રહેતા અને ભાર વાહન ચલાવીને ગુજરાન ચલાવતા જગદીશ બાબુભાઇ પરમાર નામના ૩૫ વર્ષના યુવાન ઉપર ગામમાં જ રહેતા હિતુભા વિક્રમસિંહ ઝાલા નામના શખ્સ દ્રારા બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો અને બાદમાં ઘરે જઈને તે યુવાનની સાથે ઝપાઝપી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ યુવાન સહિતના લોકો પોલીસ મથકે દોડી આવ્યા હતા અને બાદમાં ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં હાલમાં જગદીશ બાબુભાઈ પરમાર નામના યુવાને પંચાસર ગામના હિતુભા વિક્રમસિંહ ઝાલા સામે તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે

જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદીએ પોતાની મહેન્દ્રા કંપનીની જીતો નામના ભાર વાહક વાહન નંબર જીજે ૩૬ ટી ૫૦૬૭ ના કાચ ઉપર “જય ભીમ” લખાવેલું હોય તે લખાણ કાઢી નાખવાનું કહીને તેની સાથે ઝઘડો કરવામાં આવ્યો હતો અને બાદમાં તેના ઘરે આવીને હિતુભા ઝાલાએ ઉશકેરાઈ જઈને ઝપાઝપી કરી હતી અને જગદીશભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી હાલમાં જગદીશભાઈ પરમારની ફરિયાદ ઉપરથી મોરબી તાલુકા પોલીસ દ્વારા હિતુભા વિક્રમસિંહ ઝાલા સામે એટ્રોસિટી અને ધમકી આપવા સબ ગુનો નોંધવામાં આવ્યો છે જેની તપાસ ઇન્ચાર્જ એસ.સી.એસ.ટી. સેલના ડીવાયએસપી પી.એ. ઝાલા ચલાવી રહ્યા છે.






Latest News