મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં મંદિરે દર્શન કરવા જતાં દંપતીના એક્ટિવાને હડફેટે લઈને વૃદ્ધનું મોત નિપજાવનારા બાઇક ચાલકની ધરપકડ


SHARE







મોરબીમાં મંદિરે દર્શન કરવા જતાં દંપતીના એક્ટિવાને હડફેટે લઈને વૃદ્ધનું મોત નિપજાવનારા બાઇક ચાલકની ધરપકડ

મોરબીની માળિયા ફાટક ચોકડી પાસેથી એક્ટિવા ઉપર જઈ રહેલ દંપતીના એકટીવાને પાછળથી અજાણ્યા બાઇક ચાલાકે હડફેટે લીધું હતું જેથી કરીને દંપતીને ઇજાઓ થઈ હતી માટે તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નિપજ્યું હતું જેથી સીટી બી ડિવિઝન પોલીસ ખાતે ગુનો નોંધાયો હતો જેમાં પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે રાજકોટના ગૌતમનગર મેઇન રોડ ઉપર નવજીવન સ્કૂલની સામેના ભાગમાં રહેતા જયદીપભાઇ ચંદ્રકિશોરભાઇ સોલંકી (ઉમર ૨૮) એ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જીજે ૧૩ પી ૦૫૦૦ નંબરના બાઈક ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે તેઓના પિતા એકટીવા નંબર જીજે ૩ એચએસ ૬૭૫૦ લઇને સર્કિટ હાઉસ પાસેથી જતા હતા ત્યારે ફરીયાદીના માતા પણ તેમાં પાછળના ભાગે બેઠા હતા ત્યારે મોરબીના સર્કિટ હાઉસ પાસે ઉપરોકત બાઈક ચાલકે તેમના પિતાના એકટીવાને હડફેટે લીધું હતું જેથી કરીને ફરિયાદીના પિતાને માથામાં બંને બાજુ હેમરાજ જેવી ગંભીર ઇજા થયેલ હતી અને તેમની માતાને પણ શરીરે ઇજાઓ થયેલ હતી જેથી બંનેને સારવારમાં ખસેડાયા હતા અને સારવાર દરમ્યાન ચંદ્રકિશોરભાઈ સોલંકીનું મોત નીપજ્યું હતું.જેથી મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં તપાસ અધીકારી પ્રફુલભાઇ પરમારે અકસ્માત સર્જીને વૃદ્ધનું મોત નિપજાવનાર હિરેન જયંતિભાઈ રાઠોડ (૩૦) રહે.સર્વોદય સોસાયટી, હરિપર રોડ, ધ્રાંગધ્રા વાળાની ધરપકડ કરેલ છે.

છરી વડે થયેલ હુમલામાં ઈજા

મોરબી તાલુકાના લખધીરપુર (નવાગામ) રહેતા કિશન બાબુભાઇ ઝિંઝુવાડીયા નામના ૧૯ વર્ષના કોળી યુવાનને મચ્છુ-૨ ડેમ પાસે મારામારી તેમજ છરી વડે કરાયેલ હુમલામાં ઇજા થતા સારવારમાં ખસેડાયો હતો હાલ તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતી તપાસ ચલાવી રહ્યા છે.વધુમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કિશન ઝિંઝુવાડીયા પોતાના મિત્રો સાથે ડેમ ઉપર નાહવા માટે ગયો હતો જ્યાં માવો ખાવા અને ઠઠ્ઠા મશ્કરી સમયે અન્ય મિત્રો સાથે બોલાચાલી થઈ હતી જે પૈકીના એક ઇશમ દ્વારા છરી વડે તેના ઉપર હુમલો કરવામાં આવતા કિશને છરી પકડી લીધી હતી અને તેના હાથના ભાગે છરી લાગતા તેને હાલ સિવિલે સારવાર માટે ખસેડાયો છે.
 
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામે રહેતો લક્કી ભવાનસિંહ ઝાલા નામનો યુવાન પાનેલી રોડ પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે તેનું બાઇક સ્લીપ થતાં લક્કીભાઈને ઇજાગ્સ્ત હાલતમાં સારવાર માટે ખસેડાયો હતો.જ્યારે મોરબીના વીસીપરામાં રહેતા સતીશ રમેશભાઈ ડેડાણીયા નામના ૨૪ વર્ષના યુવાનને જાંબુડીયા ગામ નજીક થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી તેને પણ સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.તેમજ મોરબી તાલુકાના નાનીવાવડી ગામે રહેતા ગંગાબેન રાધેશ્યામભાઈ મેડા નામના ખેત મજૂર મહિલાને કામ દરમિયાન ખેતરમાં સાપ કરડી જતા તેઓને સારવારમાં ખસેડાયા હતા





Latest News