મોરબીમાં મંદિરે દર્શન કરવા જતાં દંપતીના એક્ટિવાને હડફેટે લઈને વૃદ્ધનું મોત નિપજાવનારા બાઇક ચાલકની ધરપકડ
SHARE
મોરબીમાં મંદિરે દર્શન કરવા જતાં દંપતીના એક્ટિવાને હડફેટે લઈને વૃદ્ધનું મોત નિપજાવનારા બાઇક ચાલકની ધરપકડ
મોરબીની માળિયા ફાટક ચોકડી પાસેથી એક્ટિવા ઉપર જઈ રહેલ દંપતીના એકટીવાને પાછળથી અજાણ્યા બાઇક ચાલાકે હડફેટે લીધું હતું જેથી કરીને દંપતીને ઇજાઓ થઈ હતી માટે તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નિપજ્યું હતું જેથી સીટી બી ડિવિઝન પોલીસ ખાતે ગુનો નોંધાયો હતો જેમાં પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે રાજકોટના ગૌતમનગર મેઇન રોડ ઉપર નવજીવન સ્કૂલની સામેના ભાગમાં રહેતા જયદીપભાઇ ચંદ્રકિશોરભાઇ સોલંકી (ઉમર ૨૮) એ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જીજે ૧૩ પી ૦૫૦૦ નંબરના બાઈક ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે તેઓના પિતા એકટીવા નંબર જીજે ૩ એચએસ ૬૭૫૦ લઇને સર્કિટ હાઉસ પાસેથી જતા હતા ત્યારે ફરીયાદીના માતા પણ તેમાં પાછળના ભાગે બેઠા હતા ત્યારે મોરબીના સર્કિટ હાઉસ પાસે ઉપરોકત બાઈક ચાલકે તેમના પિતાના એકટીવાને હડફેટે લીધું હતું જેથી કરીને ફરિયાદીના પિતાને માથામાં બંને બાજુ હેમરાજ જેવી ગંભીર ઇજા થયેલ હતી અને તેમની માતાને પણ શરીરે ઇજાઓ થયેલ હતી જેથી બંનેને સારવારમાં ખસેડાયા હતા અને સારવાર દરમ્યાન ચંદ્રકિશોરભાઈ સોલંકીનું મોત નીપજ્યું હતું.જેથી મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં તપાસ અધીકારી પ્રફુલભાઇ પરમારે અકસ્માત સર્જીને વૃદ્ધનું મોત નિપજાવનાર હિરેન જયંતિભાઈ રાઠોડ (૩૦) રહે.સર્વોદય સોસાયટી, હરિપર રોડ, ધ્રાંગધ્રા વાળાની ધરપકડ કરેલ છે.
છરી વડે થયેલ હુમલામાં ઈજા