મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલમાં થનગનાટ નવરાત્રીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો
મોરબીના વાવડી રોડે આવેલ નલિની વિદ્યાલય દ્વારા ગરબાનો કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબીના વાવડી રોડે આવેલ નલિની વિદ્યાલય દ્વારા ગરબાનો કાર્યક્રમ યોજાયો
મોરબીના વાવડી રોડે આવેલ શ્રી નલિની વિદ્યાલયના વિદ્યાર્થીઓ માટે ગાયત્રી નગરના શિવ મંદિરના પટાંગણમાં નવરાત્રી નિમિત્તે રાસગરબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું સંચાલન સંસ્થાના સંચાલક બિપિન ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું અને શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ સાથે મળીને ગરબાની મોજ કરી હતી આ શાળાના ભણતા તમામ બાળકો રાસ ગરબામાં જોડાયા હતા આ કાર્યક્રમમાં જુદા જુદા પાંચ વિભાગ પાડવામાં આવ્યા હતા. અને આ પાંચેય વિભાગના પ્રથમ, દ્વિતીય અને ટ્રેડિશનલ એમ ત્રણ ત્રણ ઇનામો આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના આચાર્ય બી.ડી.પંડ્યા, મીનાબેન, આયેસાબેન, દિપાલીબેન, રેનિષાબેન તેમજ રજીયાબેન વગેરેએ જેહમત ઉઠાવેલ હતી