મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના ભંગાર પીપળી-જેતપર રોડ ઉપર ફોરલેનના બણગા વચ્ચે ફૂટ ફૂટના ખાડા: કોંગ્રેસનો અણીદાર આક્ષેપ


SHARE







મોરબીના ભંગાર પીપળી-જેતપર રોડ ઉપર ફોરલેનના બણગા વચ્ચે ફૂટ ફૂટના ખાડા: કોંગ્રેસનો અણીદાર આક્ષેપ

મોરબીના પીપળી ગામથી લઈને જેતપર અને અણીયારીથી ઘાટીલા સુધીનો રસ્તો અતિબિસ્માર છે જેથી કરીને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી કરીને આ ભંગાર રોડ ઉપર ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ અને મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે કોંગ્રેસનાં આગેવાનોએ એવો આક્ષેપ કર્યો હતો કે ફોરલેન રોડ બનાવવાના બણગાં ફૂકવામાં આવે છે જો કે, નારી વાસ્તવિક્તાએ છે કે, આ રોડ ઉપર આજની તારીખે ફૂટ ફૂટના ઠેરઠેર ખાડા છે જેથી તે ખાડા બેરી મૂંગી સરકાર બુરે તેના માટે કોંગ્રેસ દ્વારા બાઇક રેલી યોજવામાં આવી છે

ગાંધી જયંતીના દિવસે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલની આગેવાનીમાં ગુજરત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ટંકારાના ધારાસભ્ય લલિતભાઈ કાગથરા, મોરબી તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ કે.ડી.પડસુંબિયા, મોરબી શહેર કોંગ્રેસનાં પ્રમુખ રાજુભાઇ કાવર, મોરબી જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખ મુકેશભાઇ ગામી સહિતના આગેવાનો પીપળી ગામથી લઈને જેતપર અને અણીયારીથી ઘાટીલા સુધી યોજાયેલ બાઈક રેલીમાં જોડાયા હતા અને આ ભંગાર રસ્તા માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે તો પણ યોગ્ય રીતે તેનું રિપેરિંગ કામ કરવામાં આવી રહ્યું નથી જેથી કરીને લલિતભાઈ કાગથરાએ કહ્યું હતું કે, મોરબીના લોકોને જેતપર રોડ ફોરલેન બનાવવાનું છેલ્લા ઘણા સમયથી કહેવામા આવી રહ્યું છે જો કે, હાલમાં આ રોડ વાહન લઈને ચાલવા યોગ્ય નથી જેથી બહેરી અને મૂંગી સરકાર સુધી લોકોનો અવાજ પહોચડવા માટે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં આ ભંગાર રોડ ઉપર કોંગ્રેસનાં આગેવાનો દ્વારા બાઇક રેલી યોજવામાં આવી હતી ત્યારે લોકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકરોને મળ્યો હતો






Latest News