વાંકાનેરના મહિકા ગામે આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર ખાતે ડિઝીટલ એક્ષ રે કેમ્પ યોજાયો મોરબી નાગરિક સહકારી બેંકના ડિરેક્ટરોની ચૂંટણીનું પરિણામ જાહેર, ફૂલના નિશાન ઉપર 5 - સિંહના નિશાન ઉપર 1 ઉમેદવારનો વિજય ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો
Breaking news
Morbi Today

મોરબીના ભંગાર પીપળી-જેતપર રોડ ઉપર ફોરલેનના બણગા વચ્ચે ફૂટ ફૂટના ખાડા: કોંગ્રેસનો અણીદાર આક્ષેપ


SHARE













મોરબીના ભંગાર પીપળી-જેતપર રોડ ઉપર ફોરલેનના બણગા વચ્ચે ફૂટ ફૂટના ખાડા: કોંગ્રેસનો અણીદાર આક્ષેપ

મોરબીના પીપળી ગામથી લઈને જેતપર અને અણીયારીથી ઘાટીલા સુધીનો રસ્તો અતિબિસ્માર છે જેથી કરીને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી કરીને આ ભંગાર રોડ ઉપર ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ અને મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે કોંગ્રેસનાં આગેવાનોએ એવો આક્ષેપ કર્યો હતો કે ફોરલેન રોડ બનાવવાના બણગાં ફૂકવામાં આવે છે જો કે, નારી વાસ્તવિક્તાએ છે કે, આ રોડ ઉપર આજની તારીખે ફૂટ ફૂટના ઠેરઠેર ખાડા છે જેથી તે ખાડા બેરી મૂંગી સરકાર બુરે તેના માટે કોંગ્રેસ દ્વારા બાઇક રેલી યોજવામાં આવી છે

ગાંધી જયંતીના દિવસે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલની આગેવાનીમાં ગુજરત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ટંકારાના ધારાસભ્ય લલિતભાઈ કાગથરા, મોરબી તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ કે.ડી.પડસુંબિયા, મોરબી શહેર કોંગ્રેસનાં પ્રમુખ રાજુભાઇ કાવર, મોરબી જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખ મુકેશભાઇ ગામી સહિતના આગેવાનો પીપળી ગામથી લઈને જેતપર અને અણીયારીથી ઘાટીલા સુધી યોજાયેલ બાઈક રેલીમાં જોડાયા હતા અને આ ભંગાર રસ્તા માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે તો પણ યોગ્ય રીતે તેનું રિપેરિંગ કામ કરવામાં આવી રહ્યું નથી જેથી કરીને લલિતભાઈ કાગથરાએ કહ્યું હતું કે, મોરબીના લોકોને જેતપર રોડ ફોરલેન બનાવવાનું છેલ્લા ઘણા સમયથી કહેવામા આવી રહ્યું છે જો કે, હાલમાં આ રોડ વાહન લઈને ચાલવા યોગ્ય નથી જેથી બહેરી અને મૂંગી સરકાર સુધી લોકોનો અવાજ પહોચડવા માટે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં આ ભંગાર રોડ ઉપર કોંગ્રેસનાં આગેવાનો દ્વારા બાઇક રેલી યોજવામાં આવી હતી ત્યારે લોકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકરોને મળ્યો હતો






Latest News