મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબીના ભંગાર પીપળી-જેતપર રોડ ઉપર ફોરલેનના બણગા વચ્ચે ફૂટ ફૂટના ખાડા: કોંગ્રેસનો અણીદાર આક્ષેપ


SHARE









મોરબીના ભંગાર પીપળી-જેતપર રોડ ઉપર ફોરલેનના બણગા વચ્ચે ફૂટ ફૂટના ખાડા: કોંગ્રેસનો અણીદાર આક્ષેપ

મોરબીના પીપળી ગામથી લઈને જેતપર અને અણીયારીથી ઘાટીલા સુધીનો રસ્તો અતિબિસ્માર છે જેથી કરીને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી કરીને આ ભંગાર રોડ ઉપર ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ અને મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે કોંગ્રેસનાં આગેવાનોએ એવો આક્ષેપ કર્યો હતો કે ફોરલેન રોડ બનાવવાના બણગાં ફૂકવામાં આવે છે જો કે, નારી વાસ્તવિક્તાએ છે કે, આ રોડ ઉપર આજની તારીખે ફૂટ ફૂટના ઠેરઠેર ખાડા છે જેથી તે ખાડા બેરી મૂંગી સરકાર બુરે તેના માટે કોંગ્રેસ દ્વારા બાઇક રેલી યોજવામાં આવી છે

ગાંધી જયંતીના દિવસે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલની આગેવાનીમાં ગુજરત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ટંકારાના ધારાસભ્ય લલિતભાઈ કાગથરા, મોરબી તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ કે.ડી.પડસુંબિયા, મોરબી શહેર કોંગ્રેસનાં પ્રમુખ રાજુભાઇ કાવર, મોરબી જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખ મુકેશભાઇ ગામી સહિતના આગેવાનો પીપળી ગામથી લઈને જેતપર અને અણીયારીથી ઘાટીલા સુધી યોજાયેલ બાઈક રેલીમાં જોડાયા હતા અને આ ભંગાર રસ્તા માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે તો પણ યોગ્ય રીતે તેનું રિપેરિંગ કામ કરવામાં આવી રહ્યું નથી જેથી કરીને લલિતભાઈ કાગથરાએ કહ્યું હતું કે, મોરબીના લોકોને જેતપર રોડ ફોરલેન બનાવવાનું છેલ્લા ઘણા સમયથી કહેવામા આવી રહ્યું છે જો કે, હાલમાં આ રોડ વાહન લઈને ચાલવા યોગ્ય નથી જેથી બહેરી અને મૂંગી સરકાર સુધી લોકોનો અવાજ પહોચડવા માટે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં આ ભંગાર રોડ ઉપર કોંગ્રેસનાં આગેવાનો દ્વારા બાઇક રેલી યોજવામાં આવી હતી ત્યારે લોકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકરોને મળ્યો હતો






Latest News