મોરબીમાં શરીર સબંધી ગુનો કરવાની પેરવી કરતા ચાર ઈસમો છરી સાથે પકડાયા
મોરબી જિલ્લા સાહિત્ય સભા દ્રારા સાહિત્યકાર સાથે ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબી જિલ્લા સાહિત્ય સભા દ્રારા સાહિત્યકાર સાથે ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો
ગાંધી જયંતિ નિમિત્તે મોરબીના રવાપર રોડ પર આવેલા સ્વરાંગન સ્ટુડિયોમાં સાહિત્યકાર સાથે ગોષ્ઠીનો કાર્યક્રમ યોજાયો હતો મોરબી જિલ્લા સાહિત્ય સભા આયોજિત સભામાં આમંત્રિત મહેમાન હતા અને તેમાં ખ્યાતનામ ગુજરાતી બાળસાહિત્યકાર યશવંત મહેતા પણ ત્યાં હાજર હતો
ગાંધીજીની છબીને સૂતરની આંટી પહેરાવીને રાષ્ટ્રપિતાના સાહિત્ય અને સંસ્મરણોથી ગોષ્ઠીનો આરંભ થયો છે ત્યારે યશવંત મહેતા દ્વારા ગાંધીજી વિષયક કાવ્ય પઠન કરવામાં આવ્યું છે અને સાંપ્રત સમયમાં સાહિત્ય સર્જન, વાંચનરુચિમાં આવેલી ઓટ વિશે યશવંતદાદાએ પ્રારંભિક વાતમાં ચિંતા વ્યક્ત કરી હતી અને નવચેતન સામયિક વિષયે વાત કરી છે પ્રવર્તમાન બાળ સાહિત્ય સર્જન બાબતે ખ્યાલ આપ્યો છે તેમણે એક નવી સર્જેલી વિજ્ઞાનકથા વાંચી સંભળાવી હતી આ ગોષ્ઠીમાં વીસેક સર્જક અને ભાવક ઉપસ્થિત રહ્યા હતા અને આ ગોષ્ઠીના બીજા ચરણમાં સર્જકોએ પોતાની કૃતિનું પઠન કર્યું હતું. જેમાં શૈલેષ કાલરીયા 'દોસ્ત', સંજય બાપોદરિયા 'સંગી', ડૉ. અમૃત કાંજિયા, ડૉ. ભાવેશ જેતપરિયા, તેમજ જીવતીબેન પીપલીયાએ પોતાની રચના રજૂ કરી હતી. ત્યારે સ્વરાંગન સ્ટુડિયોના હંસરાજભાઈ ગામીએ પોતાનો સંગીત અને સાહિત્યનો રાજીપો વ્યક્ત કર્યો હતી અને .યશવંતદાદાએ પોતાની બુક 'બાલિકાઓનાં ગીત' માંથી એક ગીત ગવડાવી ઉપસ્થિત રહેલા સૌ સાહિત્ય રસિકોને આ બુક ભેટ આપી હતી. આ કાર્યક્રમનું સંચાલન, આયોજન અને વ્યવસ્થા મોરબી જિલ્લા સાહિત્ય સભા વતી શૈલેષ કાલરીયા અને સંજય બાપોદરિયાએ કર્યું હતું.