મોરબી જિલ્લા સાહિત્ય સભા દ્રારા સાહિત્યકાર સાથે ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો
મોરબીની બુનિયાદી કન્યા શાળાના આચાર્ય મહાદેવભાઈનો વિદાય સમારોહ યોજાયો
SHARE
મોરબીની બુનિયાદી કન્યા શાળાના આચાર્ય મહાદેવભાઈનો વિદાય સમારોહ યોજાયો
મોરબીની બુનિયાદી કન્યા શાળાના આચાર્ય મહાદેવભાઈ વલમજીભાઇનો વિદાય કાર્યક્રમ રાખેલ હતો.આ કાર્યક્રમમા ઉપસ્થિત અધ્યક્ષ સ્થાને મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભરતભાઇ વિડજા, કે.ની.મનનભાઇ બુદ્ધદેવ, તાલુકા શાળા નં-૧ ના સીઆરસી રમેશભાઈ હુંબલ, મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દેવાયતભાઈ હેરભા, મહામંત્રી ડાભી ચમનલાલ, તાલુકા શાળા નં-૧ ના આચાર્ય શ્રીમતી રાઠોડ પ્રતિમાબેન, તાલુકા શાળા નં-૨ આચાર્ય નીલેશભાઈ કુંડારિયા, હાલ બુનિયાદી કન્યા શાળાના આચાર્ય વિલપરા મણિલાલ તેમજ તાલુકા શાળા નં-૧ ના તમામ શિક્ષક અને બુનિયાદી કન્યા શાળાના તમામ શિક્ષક સ્ટાફ અને શાળાની બાળાઓ કાર્યક્રમમા ઉપસ્થિત રહ્યા હતા અને તમામ દ્વારા વિદાય લઇ રહેલા મહાદેવભાઈને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.