મોરબી નવયુગ સંકુલની ટીમ રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધામાં દ્વિતીય સ્થાને વિજેતા
મોરબીમાં એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા સંસ્કૃતિના જતન માટે અનોખી પહેલ
SHARE
મોરબીમાં એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા સંસ્કૃતિના જતન માટે અનોખી પહેલ
એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવેલ છે. અને હાલ અત્યારે નવરાત્રીના પાવન પર્વ ચાલી રહ્યા છે ત્યારે આ તહેવારને આપણે શક્તિ ઉપાસનાના દિવસો તરીકે ઉજવીએ છીએ પરંતુ હાલ પાશ્ચાત્ય સંસ્કૃતિના રંગે રંગાઈ યુવાન યુવતીઓ પોતાનો વાસ્તવિક કલ્ચર ભૂલી રહ્યા છે ત્યારે અને અનેક પ્રકારના સંસ્કૃતિને નષ્ટ કરવાના થઈ રહ્યા છે ત્યારે શેરી ગરબા તથા સાંસ્કૃતિક ગરબા શ્રેષ્ઠ વિકલ્પ છે જેથી ફરીથી નવરાત્રીને સાચી ઓળખ માટે મોરબીમાં રોજ જે ત્રણથી ચાર એવી નવરાત્રી કે જે સાંસ્કૃતિક છે અથવા જે શેરી ગરબા છે ત્યાં શક્તિ સ્વરૂપે તલવાર ભેટ આપી તેના આયોજકોને પ્રોત્સાહન કરવામાં આવી રહ્યા છે જેથી શેરી ગરબા તથા સાંસ્કૃતિક ગરબાને પ્રાધાન્ય મળે મોરબીમાં ૧૫ આજુબાજુ આવા ગરબામા સંગઠન જઇ ઉત્સવ વધારશે અને આયોજકોને સંગઠન નારો પણ આપશે “અઢારે વરણ એક સાથે સાંસ્કૃતિક વારસા માટે સંગઠનના સંસ્થાપક હિન્દુ ભગીરથસિંહ રાઠોડ દ્વારા આ પહેલ શરૂ કરવામાં આવી છે હાલ આ પહેલ મોરબીથી શરૂ કરવામાં આવી છે અને આગલા વર્ષે સમગ્ર ગુજરાતમાં શરૂ કરાશે