મોરબીના વૃંદાવન પાર્ક, હળવદના સૂર્યનગર તેમજ રાજપર અને ભીમગુડા ગામે નવરાત્રીની ધામધુમપુર્વક ઉજવણી
મોરબીની પાટીદાર નવરાત્રી દ્વારા વધુ ચાર શાહિદ જવાનના પરિવારોને આર્થિક મદદ કરાઇ
SHARE
મોરબીની પાટીદાર નવરાત્રી દ્વારા વધુ ચાર શાહિદ જવાનના પરિવારોને આર્થિક મદદ કરાઇ
મોરબીના રવાપર ગામે આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટમાં પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન અજયભાઈ લોરીયા અને તેની ટીમે કર્યું હતું અને ત્યાં આઠમા નોરતે શહીદ જવાન અંકુશસીંગ (હિમાચલપ્રદેશ), કુલદીપ પટેલ (ગુજરાત), હસરત અલી (ઉત્તરપ્રદેશ) અને વિકાશ ઠુમ્મર (ગુજરાત) ના પરિવારોને કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડા તેમજ પુર્વ ધારાસભ્ય કાંતીલાલ અમૃતીયા, સિરામિક ઉદ્યોગપતિ પ્રમોદભાઇ વરમોરા તેમજ સવજીભાઇ બારૈયા સહીતનાઓના હસ્તે એક-એક લાખ રૂપિયાના ચેક આપીને આર્થિક સહાય કરવામાં આવી હતી