ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર પાસેથી રિક્ષાની ચોરી બાળકે કરી હોવાનું ખૂલ્યું


SHARE







મોરબીના મહેન્દ્રનગર પાસેથી રિક્ષાની ચોરી બાળકે કરી હોવાનું ખૂલ્યું

મોરબીના મહેન્દ્રનગર ચાર રસ્તા પાસે આવેલ મોલ સામે યુવાને તેની સીએનજી રીક્ષા પાર્ક કરીને મૂકી હતી જે સીએનજી રીક્ષાની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને ૮૫ હજાર રૂપિયાની કિંમતની રીક્ષાની ચોરી થઈ હોવાની સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી જે ગુનામાં પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરની પૂછપરછ કરીને તેને બાળ સુધારણા ગૃહમાં મોકલાયો છે તેવું જાણવા મળેલ છે

મોરબીના કાંતિનગર વિસ્તારમાં મસ્જિદ વાળી શેરીમાં રહેતા યુનુસભાઈ ઇબ્રાહીમભાઇ પલેજા જાતે સંધિ (૪૭) એ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યું હતું કે ગત તા.૨૮ ના સાંજના સાત થી સાડા સાત વાગ્યા દરમ્યાન તેઓએ મહેન્દ્રનગર ચાર રસ્તા પાસે આવેલી રિજન્સી મોલ સામે પોતાની સીએનજી રીક્ષા નંબર જીજે ૩૬ યુ ૨૧૮૬ ને પાર્ક કરીને મૂકી હતી જે સીએનજી રીક્ષાને કોઈ ચોરી કરી ગયેલ છે જેથી કરીને ૮૫ હજાર રૂપિયાની કિંમતની રીક્ષાની ચોરી થઈ હોવાની ફરિયાદ લઈને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનાનો પોલીસે ભેદ ઉકેલીને નાખ્યો છે આ ગુનામાં મૂળ રાજકોટના રહેવાસી અને હાલમાં મોરબીમાં રહેતા બાળ કિશોરને ડિટેઇન કરવામાં આવેલ છે અને તેની પૂછપરછ કરીને પોલીસે હાલમાં તે બાળકને બાળ સુધારણા ગૃહમાં મોકલાયો છે

દાજી જતા સારવારમાં

મોરબીના રવાપર રોડ ઉપર કાલિકા પ્લોટ વિસ્તારમાં એ.જે.કંપનીની પાછળ રહેતો અજય ઉદયભાઇ નાયક નામનો ૩૨ વર્ષનો યુવાન દાઝી ગયેલ હોય તેને અત્રે ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.વધુમાં પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે શનાળા રોડ ઉપર મહેશ હોટલની સામે રંગોલી ખમણમાં ગેસ લીકેજ થવાના કારણે લાગેલ આગમાં દાઝી જતા અજયને સારવાર માટે ખસેડાયો હતો એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

સાપ કરડી જતા સારવારમાં

મોરબીના માળિયા મીંયાણા તાલુકામાં હરીપર ગામ નજીક આવેલ દેવ સોલ્ટમાં કામ કરી ત્યાં રહેતો અક્ષય ખૂંટીભાઈ રાવત નામના ૨૨ વર્ષીય યુવાનને કામ દરમિયાન સાપ કરડી જતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે જામનગરના જોડિયા તાલુકાના પીઠડ ગામે રહેતા રૂક્ષ્મણીબેન ખુશાલભાઈ તડવી નામના ૩૫ વર્ષીય મહિલા પીઠડ ગામે અનુભાઈની વાડીએ કામ કરતા હતા ત્યારે તેમને કામ દરમિયાન ઝેરી સાપ કરડી જવાથી સારવાર માટે મોરબી ખસેડાયા હતા.

મહિલા સારવારમાં

મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં રહેતા જમીલાબેન મહેબુબભાઇ છીપા નામની ૪૬ વર્ષની મહિલા શહેરના રવાપર રોડ ઉપર એવન્યુપાર્ક અને નીલકંઠ વિદ્યાલય વચ્ચેથી જતા હતા ત્યારે કોઈ અજાણ્યા કાર ચાલકે તેમને હડફેટ લેતા ઇજાગ્રસ્ત જમીલાબેનને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના જેલ રોડ ઉપર આવેલ ઠાકર લોજની પાછળ વાઘપરા વિસ્તારમાં રહેતા જયાબેન ડાયાભાઈ પરમાર (૭૫) અને નિશિથ જગદીશભાઈ પરમાર (૨૪) ને તેમના રહેણાંક વિસ્તાર પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતા બંનેને પણ સારવારમાં ખસેડાયા હતા.






Latest News