મોરબી એટીએમ તોડી ચોરીના નિષ્ફળ પ્રયાસના ગુનામાં આરોપીનો જમીન પર છુટકારો
SHARE
મોરબી એટીએમ તોડી ચોરીના નિષ્ફળ પ્રયાસના ગુનામાં આરોપીનો જામીન પર છુટકારો
મોરબીના રવાપર રોડ પર આવેલ એટીએમ તોડી ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કરનાર આરોપીના જમીન માટે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેને કોર્ટે મંજુર કરેલ છે અને આ કેસમાં આરોપી તરફે મોરબીના વકીલ ફેનિલભાઈ ઓઝા અને યુવા વકીલ દેવ કે. જોષી રોકાયા હતા. તેમની ધારદાર દલીલો સાંભળી આરોપીના જામીન મંજુર કરવામાં આવ્યા છે.
જેમાં વકીલ દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે, આરોપીએ કોઈ ચોરી કરેલ નથી તથા આરોપી મોરબીના સ્થાનિક રહેવાસી છે નાસી ભાગી જાય તેવા વ્યક્તિ નથી અને નીચલી અદાલતને ટ્રાયલ ચલવવાની સતા હોય વકીલ ફેનિલભાઈ ઓઝા ધારદાર દલીલો સાંભળીને મોરબીના સેકન્ડ એડી. સેશન્સ જજ દ્વારા આરોપીના રૂપિયા ૨૫,૦૦૦ ના જામીન મંજુર કરવામાં આવ્યા છે આ કેસમાં આરોપી તરફે મોરબીના સીનીયર વકીલ જગદીશભાઈ ઓઝા, ફેનિલભાઈ ઓઝા, રાજવીબેન ઓઝા તથા યુવા વકીલ દેવ કે.જોષી તથા સહેનાઝબેન સુમરા રોકાયા હતા.









