મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ-પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શસ્ત્ર-શાસ્ત્ર પુજનનું આયોજન
મોરબીમાં પાટીદાર નવરાત્રીએ નફાની આવકમાંથી ૫૨.૩૦ લાખ સેવા કાર્યમાં અર્પણ
SHARE
મોરબીમાં પાટીદાર નવરાત્રીએ નફાની આવકમાંથી ૫૨.૩૦ લાખ સેવા કાર્યમાં અર્પણ
મોરબીમાં રવાપર ગામે આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે પાટીદાર નવરાત્રીનું આયોજન અજયા લોરીયા અને તેની ટીમે કર્યું હતુ જેના ખર્ચાને બાદ કરતાં થયેલ નફાની આવકમાંથી ૫૨.૩૦ લાખ સેવા કાર્યમાં અર્પણ કરવામાં આવ્યા છે
મોરબીમાં અજય લોરીયા અને સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા આયોજિત શહીદ પરિવારના લાભાર્થે યોજાયેલ પાટીદાર નવરાત્રી મહોત્સવમાંમાં આઠમના દિવસે હિસાબ કરવામાં આવ્યો હતો અને તેમાંથી વધેલ કુલ ૫૨.૩૦ લાખનો નફો થયો છે. અને તેની માહિતી આપતા અજય લોરીયાએ જણાવ્યુ છે કે, નફાની રકમ જુદા જુદા સેવા કાર્યોમાં વાપરવાનું અગાઉથી જ નક્કી કરાયું હતું જેથી ૫૨.૩૦ લાખમાંથી ૩૦ શહીદ પરિવારોને એક એક લાખ મળી ૩૦ લાખ, મનો દિવ્યાંગ માટે ચાલતી શાળાને દાતાના સહયોગથી ૭.૫૫ લાખની બસ અર્પણ કરાય છે અને નવા બસ સ્ટેન્ડ સામે આવેલ સરદાર પટેલના સ્ટેચ્યુને નવેસરથી બનાવવા માટે ૧૫ લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે આમ પાટીદાર નવરાત્રી મહોત્સવમાં નવરાત્રીમાં જ હિસાબ કરી નફો સેવા કાર્યો માટે ફાળવી દેવામાં આવ્યો છે









