રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીમાં પાટીદાર નવરાત્રીએ નફાની આવકમાંથી ૫૨.૩૦ લાખ સેવા કાર્યમાં અર્પણ 


SHARE









મોરબીમાં પાટીદાર નવરાત્રીનફાની આવકમાંથી ૫૨.૩૦ લાખ સેવા કાર્યમાં અર્પણ 

મોરબીમાં રવાપર ગામે આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે પાટીદાર નવરાત્રીનું આયોજન અજયા લોરીયા અને તેની ટીમે કર્યું હતુ જેના ખર્ચાને બાદ કરતાં થયેલ નફાની આવકમાંથી ૫૨.૩૦ લાખ સેવા કાર્યમાં અર્પણ કરવામાં આવ્યા છે

મોરબીમાં અજય લોરીયા અને સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા આયોજિત શહીદ પરિવારના લાભાર્થે યોજાયેલ પાટીદાર નવરાત્રી મહોત્સવમાંમાં આઠમના દિવસે હિસાબ કરવામાં આવ્યો હતો અને તેમાંથી વધેલ કુલ ૫૨.૩૦ લાખનો નફો થયો છે. અને તેની માહિતી આપતા અજય લોરીયાએ જણાવ્યુ છે કે, નફાની રકમ જુદા જુદા સેવા કાર્યોમાં વાપરવાનું અગાઉથી જ નક્કી કરાયું હતું જેથી ૫૨.૩૦ લાખમાંથી ૩૦ શહીદ પરિવારોને એક એક લાખ મળી ૩૦ લાખ, મનો દિવ્યાંગ માટે ચાલતી શાળાને દાતાના સહયોગથી ૭.૫૫ લાખની બસ અર્પણ કરાય છે અને નવા બસ સ્ટેન્ડ સામે આવેલ સરદાર પટેલના સ્ટેચ્યુને નવેસરથી બનાવવા માટે ૧૫ લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે આમ પાટીદાર નવરાત્રી મહોત્સવમાં નવરાત્રીમાં જ હિસાબ કરી નફો સેવા કાર્યો માટે ફાળવી દેવામાં આવ્યો છે 






Latest News