મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી બંગાલ દુર્ગાપુજા ગ્રુપ દ્વારા કરાયેલ દુર્ગાપુજાનું આયોજન સંપન્ન


SHARE













મોરબી બંગાલ દુર્ગાપુજા ગ્રુપ દ્વારા કરાયેલ દુર્ગાપુજાનું આયોજન સંપન્ન

મોરબી માં લખધીરવાસ ચોકમાં નવરાત્રીના છઠા દિવસથી વિજયા દશમી સુધી દુર્ગાપુજા કમીટી મેમ્બર્સ દ્વારા છેલ્લા સાત વર્ષથી દુર્ગાપુજા મહાઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. જેના મુખ્ય કમીટી મેમ્બર્સ પ્રદિપ કુત્તુ, રામ મોન્ડાલ, મોહિતભાઈ રાવલ, સંજીત મોન્ડાલ, રાજુ પ્રમાણીક,વાસુદેવ અધિકારી,ચંચલ બેરા,સંજય દોલુઈ, દ્વ્રારા દુર્ગાપુજા પંડાલનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે અને છેલ્લા દિવસે ભવ્ય અને પરંપરાગત ઉજવણી સાથે કાર્યક્રમને સંપન્ન કરવામાં આવ્યો હતો

દુર્ગાપુજા કોઈ પ્રદેશ કે પ્રાંતનો નહીં પરંતુ તમામ જન સમુદાયને સાથે લઈને ઉજાવવામાં આવે છે અને દુર્ગાપુજા ઉત્સવને યુનેશકો દ્વ્રારા હેરીટેજ ફેસ્ટીવલમાં સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે દુર્ગાપુજા દેશ નહી પરંતુ વિદેશમાં પણ ધામઘુમથી ઉજવવામાં આવે છે દર વર્ષે પાંચ દિવસ ચાલતા આ ઉત્સવમાં સ્થાપના, સરસ્વતી પુજા, દુર્ગાષ્ટમી, હવન,પુષ્પાજંલી, લક્ષ્મી પુજા, મહા આરતી, ઢોલ અને સિંદુર ખેલા જેવા અનેક કાર્યક્રમો ઉજવવામાં આવે છે. અને વિજયા દશમીના દિવસે દુર્ગાપુજાનું ભવ્ય વિર્સજન કરવામાં આવે છે. ભારતની મહાન સંસ્કૃતી અને બંગાલની પરંપરાનું સમાન્વય થા છે અને દુર્ગાપુજા પંડાલમાં બુધ્ધીના દેવતા ગણેશજી, બલના દેવતા કાર્તિકેય સ્વામી, જ્ઞાનના દેવી સરસ્વતી, સંપતી અને એશ્રવર્યાના દેવી લક્ષ્મી અને મહીસાસુર મર્દની માં દુર્ગાનું પુજાન, અર્ચન, આરતી અને સ્તુતી કરવામાં આવે છે અને તેનો લાભ લઈને લોકો ધન્યતા અનુભવે છે






Latest News