મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં અણઘડ વહીવટ-પ્રજા વિરોધી કામગીરીથી ત્રસ્ત થઈને ભાજપ છોડ્યો: કિશોરભાઈ ચીખલીયા


SHARE















મોરબી જીલ્લામાં અણઘડ વહીવટ-પ્રજા વિરોધી કામગીરીથી ત્રસ્ત થઈને ભાજપ છોડ્યો: કિશોરભાઈ ચીખલીયા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોરે અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ લલીતભાઈ કગથરાએ જણાવ્યું હતું કે મંદી, મોંઘવારી અને બેરોજગારી સહિતના પ્રશ્નોથી જયારે ગુજરાતની પ્રજા ત્રસ્ત છે ત્યારે ભાજપની અનીતિ, અણઘડ વહીવટ અને પ્રજા વિરોધી કામગીરીથી ત્રસ્ત થઈને મોરબી જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને વરિષ્ઠ આગેવાન કિશોરભાઈ ચીખલીયાએ ભાજપને છોડ્યો છે અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે ભાજપમાંથી રાજીનામાં આપી જનતાલક્ષી કામગીરી કરતા કોંગ્રેસ પક્ષમાં વિધિવત રીતે જોડાયા છે જેથી કિશોરભાઈ અને તેમની ટીમનું કોંગ્રેસ પક્ષ સહર્ષ સ્વાગત કરે છે.

ગુજરાતમાં હાલમાં ચાલી રહેલી લોકશાહી માટે ખતરારૂપ છે. ભાજપ દ્વારા રાજકીય કિન્નાખોરી રાખી કોઈપણ કાર્યકર આગેવાન પર પગલા ભરવામાં આવશે તો કોંગ્રેસ પક્ષ તેના પડખે ઢાલ બનીને ઉભો રહેશે. પ્રધાનમંત્રીના કાર્યક્રમોમાં પ્રજાના પરસેવાના કરોડો રૂપિયાનો દુરુપયોગને રોકવા સુરતના કોંગ્રેસ કાર્યકર્તાઓએ વિરોધ દર્શાવ્યો હતો જેના પગલે વિરોધ કરતા ચાર યુવાનો ઉપર પાસા હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો. ભાજપની ધાક-ધમકી અને ડરાવવાની રાજનીતિનો જવાબ કોંગ્રેસ પક્ષ ડર્યા વગર મજબુતાઈથી આપશે

ગઇકાલે યોજાયેલ પત્રકાર પરિષદમાં મોરબી જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ જેવી માતૃ સંસ્થામાંથી ભાજપમાં જોડાવાનુ મને દુઃખ છે કોંગ્રેસ પક્ષના તમામ નેતા, આગેવાનો અને કાર્યકર્તાઓને વિનંતી કરું છું કે, ભાજપમાં કદાપી ન જોડાય. ભાજપ માત્ર જોડાયેલા નેતા, કાર્યકર્તાઓનો ઉપયોગ કરી ફેંકી દે છે. હું સંપૂર્ણ બિનશરતી રીતે મારી માતૃ સંસ્થા કોંગ્રેસમાં જોડાયો છું આ તકે ધારાસભ્ય જાવેદ પીરઝાદા, ધારાસભ્ય નિરંજન પટેલ, કોંગ્રેસ પક્ષના મીડિયા કો-ઓર્ડીનેટર હેમાંગ રાવલ, મોરબી જીલ્લા પંચાયતના સદસ્યો  નયનભાઈ અઘારા, મહેશ પારેયા, સતીષભાઈ મેરજા, નીલેશભાઈ, ગુજરાત પ્રદેશ એન એસ.યુ.આઈ. મંત્રી કુલદીપસિંહ જાડેજા, જીલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ અલ્પેશભાઈ કોઠીયા, જીલ્લા ઉપપ્રમુખ ભાવનીક મુછડિયા, ડોક્ટર સેલના પ્રમુખ ડો. અભયરાજસિંહ ઝાલા, અયુબભાઇ મોવર, ઇકબાલભાઈ જેડા, ગોરધનભાઈ, ધર્મેન્દ્રભાઈ વિરજા, જટુભા, મિલન સોરીયા,  દેવજીભાઈ રાજપરા સહીત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News