વાંકાનેર સુન્ની મુસ્લિમ સીપાઇ જમાતની નવી બોડીની રચના કરાઈ
SHARE
વાંકાનેર સુન્ની મુસ્લિમ સીપાઇ જમાતની નવી બોડીની રચના કરાઈ
વાંકાનેર સુન્ની મુસ્લિમ સીપાઇ જમાતની ચુંટણી કરવામાં આવી હતી જેમાં સમાજને શીક્ષણ આરોગ્ય અને આર્થિક સધ્ધરતા પ્રાપ્ત થાય તે માટેની હાકલ કરવામાં આવી હતી અને સમાજના આગેવાનો તથા જમાતના લોકો દ્વારા નિષ્પક્ષ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રમુખ તરીકે નાશીર હુસેનભાઈ લશ્કરીની નિમણૂક કરવામાં આવી હતી તે ઉપરાંત સબીરભાઈ અલારખાભાઈ ખોખર, ઈરફાનખાન મોહમ્મદખાન પઠાણ, સિરાજભાઈ રિયાઝભાઈ કુરેશી, ઇમરાનભાઈ ગુલાબભાઈ ચૌહાણ, સાજીદખાન સલીમખાન પઠાણ, ફિરોજભાઈ અબ્દુલભાઈ ભટ્ટી, આસિફભાઇ અહેમદભાઈ કુરેશી, પરવેશભાઈ ઇબ્રાહીમભાઇ કુરેશી, ઈરફાનભાઇ ગુલાબભાઈ લશ્કરી, કયુમભાઈ અબ્દુલભાઈ ખોખર, રહીમભાઈ હુસેનભાઇ પરમાર, યાસીનભાઈ અનવરભાઈ ચૌહાણ, આબિદમિયા અનવરમિયા સૈયદ અને સોહિલ સલીમભાઈ કુરેશીને સર્વાનુમતે સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે