વાંકાનેરમાં રહેતી પરિણીતા પાસેથી અજાણ્યો મોબાઈલ ફોન મળી આવતા પરિવારે ઠપકો આપતા કર્યો આપઘાતનો પ્રયાસ
વાંકાનેર આમ આદમી પાર્ટી સંગઠન માળખાંની મીટીંગ યોજાઈ
SHARE
વાંકાનેર આમ આદમી પાર્ટી સંગઠન માળખાંની મીટીંગ યોજાઈ
વાંકાનેર ખાતે આવેલ શીવ શક્તિ હોટેલમાં આમ આદમી પાર્ટીની આગામી ચૂંટણીને અનુલક્ષીને અગત્યની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે વાંકાનેર વિધાનસભાના ઉમેદવાર વિક્રમભાઇ સોરાણી તથા સૌરાષ્ટ્ર ઝોનના અગ્રણી ઇન્દ્રનિલ રાજ્યગુરુ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને આગામી દિવસોમાં ગેરંટી કાર્ડને ઘર ઘર સુધી પહોંચાડવા કાર્યકરોને હાકલ કરવામાં આવી હતી ત્યાર બાદ ઇન્દ્રનિલ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે ગુજરાતમાં શીક્ષણ, આરોગ્ય અને ભ્રષ્ટાચાર મુદ્દે કડક વલણ અપનાવી લોકોને પ્રાથમિક સવલતો સરળતાથી મળી રહે તેવી આમ આદમી પાર્ટીની નેમ છે જ્યારે વાંકાનેર વિધાનસભા ઉમેદવાર વિક્રમભાઇ સોરાણીએ જણાવ્યું હતું કે વાંકાનેરના પ્રવાસ દરમિયાન લોકોના પ્રશ્ર મળી રહ્યા છે જેને પ્રાથમિકતા આપીને વહેલી તકે પુર્ણ થાય તેવા પ્રયાસો તેઓ દ્વારા કરવામાં આવશે આ તકે ઉસ્માન ગની સેરસીયા, અર્જુનસીહ વાળા, આરીફ બલોચ, નજરુદીન બાદી, ઈર્શાદ મહિકા, સાહેરાબેન કડીવાર, યાકુબ માથકિયા સહીતના બહોળી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા