મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના ઝુલતા પૂલે કામ કરતાં વીજ શૉટ લાગવાથી મજૂર યુવાનનું મોત


SHARE













મોરબીના ઝુલતા પૂલે કામ કરતાં વીજ શૉટ લાગવાથી મજૂર યુવાનનું મોત

મોરબીના ઝુલતા પૂલે કામગીરી દરમિયાન વીજ શૉટ લાગતા મજૂરી કામ કરતાં યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો અને અકસ્માત મૃત્યુના આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની તપાસ શરૂ કરેલ છે

બનાવી જાણવા મળતી વિગત પ્રમાણે છેલ્લા ઘણા સમયથી મોરબીમાં આવેલ ઐતિહાસિક જુલતા પુલનું રીપેરીંગ અને રીનોવેશન કામ ચાલી રહ્યું છે દરમિયાન તે કામગીરી કરતા સમયે પ્રકાશભાઈ માલાભાઈ વાઢેર (ઉંમર ૨૩) રહે. હાલ ઝુલતાપુલ વાળાને ઈલેક્ટ્રીક સોટ લાગ્યો હતો જેથી કરીને પ્રકાશભાઈ વાઢેરનું મૃત્યુ નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માત મૃત્યુના આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મારામારીમા ઈજા

મોરબીના સામાકાંઠે ભડીયાદ પાસે આવેલ જવાહર સોસાયટીમાં રહેતા મોહનભાઈ મકવાણા (૭૧) અને ગંગાબેન મોહનભાઈ મકવાણા (૬૮) ને તેમની ભાણેજ હેતલબેન સાથે બોલાચાલી ઝઘડો થતા ઇજાગ્રાસ્ત હાલતમાં સિવિલે સારવાર માટે ખસેડાયા હતા જેથી બીટ વિસ્તારના જમાદાર પ્રફુલભાઈ પરમાર દ્વારા આ અંગે તપાસ કરવામાં આવી રહી છે.જ્યારે મોરબીના વીસીપરામાં આવેલ મહાકાળી મિલ નજીક થયેલ મારામારીના બનાવવામાં ઈજાઓ થવાથી સુરેશ બાબુભાઇ ધામેચા (૨૬) રહે.રાજ બેકરી પાસે વીસીપરા અને વિષ્ણુ ટપુભાઇ જાસલીયા (૨૪) રહે.વિશીપરાને સારવાર માટે સીવીલે ખસેડાયા હતા.






Latest News