મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના રણછોડનગરમાં જુગાર રમતા ચાર શખ્સ ઝડપાયા


SHARE















મોરબીના રણછોડનગરમાં જુગાર રમતા ચાર શખ્સ ઝડપાયા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગરમાં ફ્લોર મિલની બાજુમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા ચાર શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૫૧૮૦ ની રોકડ કબજે કરી હતી અને જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગરમાં રવિરાજ ફ્લોર મિલની બાજુમાં આવેલ શેરીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી બી ડિવિઝન પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા સ્થળ ઉપર સોકતઅલી શેરઅલી ધમાણી, હુસેનભાઈ નુરમામદભાઈ શેખ, કુલદીપ સિંહ નરપતસિંહ રાણા અને ભગીરથસિંહ પ્રવિણસિંહ રાણા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૫૧૮૦ ની રોકડ કબજે કરી હતી અને જુગારધારા હેઠળ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

વૃદ્ધ સારવારમાં

મોરબીના સામાકાંઠે ઈન્દીરાનગર વિસ્તારમાં રહેતા મૂળજીભાઈ દેવજીભાઈ પરમાર નામના ૭૩ વર્ષીય વૃદ્ધ પોતાના પૌત્રના બાઈકની પાછળ બેસીને જતા હતા ત્યારે રસ્તામાં તેઓ બાઈકમાંથી નીચે પડી જતા ઇજાગ્રસ્ત હાલતના તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે આવેલ સોઓરડી વિસ્તારમાં રહેતા શૈલેષભાઈ બેચરભાઈ મકવાણા નામના ૩૨ વર્ષના યુવાને તેના ઘરે અગમ્ય કારણોસર ફીનાઇલ પી લેતા તેને સારવાર માટે સિવિલે ખસેડવામાં આવ્યો હતો.જેથી બી ડિવિઝન પોલીસ મથકના અશોકભાઈ સારદીયા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News