મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

મોરબીના ઝુલતા પૂલે કામ કરતાં વીજ શૉટ લાગવાથી મજૂર યુવાનનું મોત


SHARE







મોરબીના ઝુલતા પૂલે કામ કરતાં વીજ શૉટ લાગવાથી મજૂર યુવાનનું મોત

મોરબીના ઝુલતા પૂલે કામગીરી દરમિયાન વીજ શૉટ લાગતા મજૂરી કામ કરતાં યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો અને અકસ્માત મૃત્યુના આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની તપાસ શરૂ કરેલ છે

બનાવી જાણવા મળતી વિગત પ્રમાણે છેલ્લા ઘણા સમયથી મોરબીમાં આવેલ ઐતિહાસિક જુલતા પુલનું રીપેરીંગ અને રીનોવેશન કામ ચાલી રહ્યું છે દરમિયાન તે કામગીરી કરતા સમયે પ્રકાશભાઈ માલાભાઈ વાઢેર (ઉંમર ૨૩) રહે. હાલ ઝુલતાપુલ વાળાને ઈલેક્ટ્રીક સોટ લાગ્યો હતો જેથી કરીને પ્રકાશભાઈ વાઢેરનું મૃત્યુ નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માત મૃત્યુના આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મારામારીમા ઈજા

મોરબીના સામાકાંઠે ભડીયાદ પાસે આવેલ જવાહર સોસાયટીમાં રહેતા મોહનભાઈ મકવાણા (૭૧) અને ગંગાબેન મોહનભાઈ મકવાણા (૬૮) ને તેમની ભાણેજ હેતલબેન સાથે બોલાચાલી ઝઘડો થતા ઇજાગ્રાસ્ત હાલતમાં સિવિલે સારવાર માટે ખસેડાયા હતા જેથી બીટ વિસ્તારના જમાદાર પ્રફુલભાઈ પરમાર દ્વારા આ અંગે તપાસ કરવામાં આવી રહી છે.જ્યારે મોરબીના વીસીપરામાં આવેલ મહાકાળી મિલ નજીક થયેલ મારામારીના બનાવવામાં ઈજાઓ થવાથી સુરેશ બાબુભાઇ ધામેચા (૨૬) રહે.રાજ બેકરી પાસે વીસીપરા અને વિષ્ણુ ટપુભાઇ જાસલીયા (૨૪) રહે.વિશીપરાને સારવાર માટે સીવીલે ખસેડાયા હતા.






Latest News