ટંકારાના હડમતિયા ગામે દશેરાના દિવસે શસ્ત્ર પુજનનો કાર્યક્રમ યોજાયો
SHARE
ટંકારાના હડમતિયા ગામે દશેરાના દિવસે શસ્ત્ર પુજનનો કાર્યક્રમ યોજાયો
“અધર્મ ઉપર ધર્મનો વિજય એટલે વિજયાદશમી" દશેરા ભારતમાં ઉજવાતો એક હિંદુ તહેવાર છે, જે નવરાત્રી પુરી થયા બાદ આવે છે. ગુજરાતી પંચાંગ મુજબ આસો માસની સુદ દશમને દિવસે આવે છે. અને રાવણ ઉપર ભગવાન રામચંદ્રએ મેળવેલાં વિજયનાં માનમાં આ તહેવાર ઉજવવામાં આવે છે, માટે તેનું બીજું નામ વિજયા દશમી પણ છે ત્યારે ટંકારાના હડમતિયા ગામના યુવા ઉધોગપતિ અને આમ આદમી પાર્ટીના મોરબી-માળિયા સીટના ઉમેદવાર અને કચ્છ-ભુછના ઉપપ્રમુખ પંકજભાઈ રાણસરીયાએ વિધિવત શસ્ત્ર પુજન અર્ચન કરવામાં આવ્યું હતું સાથે ગામનાં અસંખ્ય યુવા આગેવાનો સાથે જોડાયેલા રહ્યા હતા. અને નવરાત્રીમા સંખ્યાબંધ માનવ મહેરામણ વચ્ચે અને ઝગમગતી રોશની વચ્ચે અંધકારનો નાશ અને દિવાળી પહેલા રોશનીનો ઉદય થયો હતો