ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના સોની વેપારીએ શારરિક તકલીફ-ધંધો નબળો પડતાં કર્યો આપઘાત


SHARE







મોરબીના સોની વેપારીએ શારરિક તકલીફ-ધંધો નબળો પડતાં કર્યો આપઘાત

મોરબીના ભવાની ચોક પાસે આવેલ વિશ્વકર્મા મંદિરની બાજુમાં રહેતા સોની વેપારી યુવામનનો ધંધો નબળો ચાલતો હોય તેમજ શારીરિક તકલીફ હોવાના કારણે તેણે કંટાળી જઈને મોરબી નજીકના મચ્છુ બે ડેમમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો જેથી તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવવાની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના ભવાની ચોકમાં આવેલ વિશ્વકર્મા મંદિર પાસે રહેતા સોની વેપારી જયેશભાઈ છગનભાઈ રાણપરા જાતે સોની (ઉંમર ૪૪) મોરબી નજીકના મચ્છુ બે ડેમમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને મૃતકના ભાઈ કેતનભાઇ છગનભાઈ રાણપરા (ઉંમર ૪૨) રહે. ભવાની ચોક વિશ્વકર્મા મંદિર વાળાએ જાણ કરી હતી જેથી કરીને મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી પ્રમાણે મૃતક યુવાનને બીપીની તકલીફ હતી તેમજ બંને પગના ગોળામાં તકલીફ હતી તેની સાથોસાથ ધંધો પણ નબળો હોવાથી કંટાળી જઈને તેઓએ મચ્છુ-બે ડેમમાં ઝંપલાવીને આપઘાત કર્યો હોવાનું મૃતકના પરિવારજનો પાસેથી પોલીસને જાણવા મળ્યું છે જેની પોલીસે નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News