વન્યપ્રાણી સપ્તાહ ઉજવણી સાથે માળીયાના જાજાસરની શાળામાં દેવ સોલ્ટ દ્વારા શૈક્ષણિક કિટનું વિતરણ
મોરબીના સોની વેપારીએ શારરિક તકલીફ-ધંધો નબળો પડતાં કર્યો આપઘાત
SHARE
મોરબીના સોની વેપારીએ શારરિક તકલીફ-ધંધો નબળો પડતાં કર્યો આપઘાત
મોરબીના ભવાની ચોક પાસે આવેલ વિશ્વકર્મા મંદિરની બાજુમાં રહેતા સોની વેપારી યુવામનનો ધંધો નબળો ચાલતો હોય તેમજ શારીરિક તકલીફ હોવાના કારણે તેણે કંટાળી જઈને મોરબી નજીકના મચ્છુ બે ડેમમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો જેથી તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવવાની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના ભવાની ચોકમાં આવેલ વિશ્વકર્મા મંદિર પાસે રહેતા સોની વેપારી જયેશભાઈ છગનભાઈ રાણપરા જાતે સોની (ઉંમર ૪૪) એ મોરબી નજીકના મચ્છુ બે ડેમમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને મૃતકના ભાઈ કેતનભાઇ છગનભાઈ રાણપરા (ઉંમર ૪૨) રહે. ભવાની ચોક વિશ્વકર્મા મંદિર વાળાએ જાણ કરી હતી જેથી કરીને મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી પ્રમાણે મૃતક યુવાનને બીપીની તકલીફ હતી તેમજ બંને પગના ગોળામાં તકલીફ હતી તેની સાથોસાથ ધંધો પણ નબળો હોવાથી કંટાળી જઈને તેઓએ મચ્છુ-બે ડેમમાં ઝંપલાવીને આપઘાત કર્યો હોવાનું મૃતકના પરિવારજનો પાસેથી પોલીસને જાણવા મળ્યું છે જેની પોલીસે નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે