ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

વાંકાનેર શહેર અને તાલુકમાં વીજ શોર્ટ લાગતા બે વ્યક્તિના મોત


SHARE













વાંકાનેર શહેર અને તાલુકમાં વીજ શોર્ટ લાગતા બે વ્યક્તિના મોત

વાંકાનેર નજીક આવેલ હસનપર ગામે પોતાના ઘરની અગાસી ઉપર નીણ (સૂકું ઘાસ) લેવા માટે ગયેલ યુવાન ઈલેક્ટ્રીક વાયરને અડી જતા તેને શોર્ટ લાગ્યો હતો અને તેનું મોત નીપજયું હતું આવી જ રીતે દીધલિયા ગામે વાડીએ વ્વિ સોર્ટ  લગતા વૃદ્ધનું મોત નીપજયું હતું જે બંને બનાવની વાંકાનેર સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બંન્ને બનાવનો નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર સીટી નજીક આવેલ હસનપર ગામમાં રહેતા કિશનભાઇ માલાભાઈ બાંભવા જાતે ભરવાડ (ઉંમર ૧૮) પોતાના ઘરે હતા ત્યારે પોતાના ઘરની અગાસી ઉપર નિણ (સૂકો ઘાસ) લેવા માટે ગયો હતો ત્યારે ત્યાં થાંભલાના ઇલેક્ટ્રીક વાયરને અડી જતા તેને શોર્ટ લાગ્યો હતો અને તેનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પોપટભાઈ ભાયાભાઈ બાંભવા વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

આવી જ રીતે વાંકાનેર તાલુકાના દીધલિયા ગામે રહેતા હમીરભાઈ દેવશીભાઈ પરમાર (ઉંમર ૬૫) ને વાડીએ ઇલેક્ટ્રીક સોટ લાગ્યો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

હાર્ટ એટેકથી મોત

ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે રહેતા ઈસ્માઈલભાઈ જુસાભાઈ સંધિ (ઉંમર ૬૦) પોતાના ઘરે હતા ત્યારે તેઓને હાર્ટ અટેક આવી જતા તેને સારવાર માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News