મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીના વાડી વિસ્તારમાં કાલે મંત્રી અને સાંસદોની હાજરીમાં ભૂગર્ભ-પાણીના કામનું કરાશે ખાતમહુર્ત


SHARE











મોરબીના વાડી વિસ્તારમાં કાલે મંત્રી અને સાંસદોની હાજરીમાં ભૂગર્ભ-પાણીના કામનું કરાશે ખાતમહુર્ત

મોરબીના વાડી વિસ્તારમાં લોકોની સુવિધામાં વધારો કરવા માટે જુદાજુદા કામો મંજૂર કરવામાં આવેલ છે જેમાં ખાસ કરીને ભૂગર્ભ અને પાણીના કામનું રવિવારે મંત્રી અને સાંસદોની હાજરીમાં ખાતમહુર્ત કરવામાં આવશે

મોરબીમાં ૯મી ઓક્ટોબર-૨૦૨૨ ના રોજ સવારે ૮:૩૦ કલાકે બોરીયા પાટી, બજરંગ સર્કલ ખાતે નરગપાલિકા દ્વારા ખાર્તમુર્હૂતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અધ્યક્ષ સ્થાને સાંસદ મોહનભાઇ કુંડારિયા હાજર રહેશે અને તે ઉપરાંત રાજ્યના મંત્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે 9.56 કરોડનું પાણીની યોજનાનુ ખાતમહુર્ત કરવામાં આસવ્હે તથા સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઇ ચાવડાના હસ્તે 38.5 કરોડની ભૂગભર ગટર યોજનના કામનું ખાતમહુર્ત કરવામાં આવશે ત્યારે સહકારી આગેવાન મગનભાઇ વડાવીયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા અને શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા સહિતના આગેવાનો હાજર રહેશે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, ચેરમેન સુરેશભાઇ દેસાઇ, દેવાભાઇ અવાડિયા, બ્રિજેશભાઇ કુંભારવાડીયા અને હનીફભાઇ મોવર સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે

મંત્રી કયા કયા હાજર રહેશે

આજે શનિવારે તા ૮ ના રોજ રાત્રે ૦૮:૦૦ કલાકે બ્લુ ઝોન સિરામીક, પાવડીયારી ખાતે મ્યુઝીક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તે ઉપરાંત તા ૯ ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે રોલા રાતડીયાની વાડી વોર્ડ નં.૧૧માં ખાતમુર્હૂત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. અને સવારે ૧૦:૦૦ કલાકે ખાખરેચી ખાતે સામાજિક કાર્યક્ર્મમાં ઉપસ્થિત રહેશે. સાંજે ૪:૩૦ કલાકે ક્લબ-૩૬, લજાઈ ખાતે સામાજિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.






Latest News