ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક મોરબી: ફોર્ટિફિકેશન અભિગમથી કુપોષણ અને એનિમિયા મુક્ત ગુજરાતનો સંકલ્પ સાકાર કરવા સરકાર પ્રયત્નશીલ મોરબીમાં દીકરાના લગ્ન પ્રસંગ નિમિતે જલારામ ધામના સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી સમાજને નવો રાહ ચીંધતો ઝાલા પરિવાર
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે બે બાઈક સામસામે અથડાતા યુવાન અને વૃદ્ધ સારવારમાં


SHARE















મોરબીના લાલપર પાસે બે બાઈક સામસામે અથડાતા યુવાન અને વૃદ્ધ સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા લાલપર ગામ નજીક હોટલ પાસે બે ટુ-વ્હીલરો સામસામે અથડાયા હતા જેમાં યુવાન અને વૃદ્ધ એમ બે લોકોને ઇજાઓ પહોંચતા સારવારમાં દવાખાને ખસેડાયા છે.

ઉપરોક્ત વાહન અકસ્માતની મળતી માહિતી પ્રમાણે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા લાલપર ગામે શક્તિ કૃપા હોટલ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં બે બાઈક સામસામે અથડાયા હતા તે બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા સુનિલભાઈ સુરેશભાઈ (૩૧) રહે.વિદ્યુતનગર સામાકાંઠે મોરબી-૨ અને મોરબીના લાલપર ગામે રહેતા કરશનભાઈ ખોડીદાસ અઘારા (૬૪) નામના બે લોકોને ઇજાઓ પહોંચી હોય બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે આવેલ પાવનપાર્ક વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ જયંતીભાઈ હાંસલીયા નામના ૪૪ વર્ષના યુવાનને મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી નજીક આવેલ મહેન્દ્રસિંહ હોસ્પિટલ પાસે કાર અને બાઈક વચ્ચે થયેલ અકસ્માત બનાવમાં ઇજાઓ થવાથી તેમને સારવારમાં દવાખાને લઈ જવાયા હતા.

મારામારીમાં ઈજા

મોરબીના સામાકાંઠે એલઇ કોલેજના સિક્યુરિટી ગેઇટ પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા ઘનશ્યામસિંહ સરદારસિંહ ઝાલા નામના ૪૪ વર્ષીય યુવાનને સિવિલે સારવારમાં ખસેડાયા હતા.જેથી હાલ બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા નોંધ કરીને મારામારીના બનાવના કારણ સંદર્ભે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.જ્યારે મોરબીના નવલખી રોડ ઉપર રોકડિયા હનુમાન મંદિર પાસે રહેતા રીનાબેન માલદેવભાઈ રાઠોડ નામની ૩૫ વર્ષીય મહિલાને તેના રહેણાંક વિસ્તાર પાસે મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી જેથી કરીને રીનાબેનને પણ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના શનાળા ગામ નજીક આવેલા રાજપર ગામ પાસે બાઈકમાં જતા સમયે બાઈકમાંથી નીચે પડી જતા જામનગરના જોડિયા તાલુકાના પીઠડ ગામે રહેતા વિવેક શૈલેષભાઈ વાઘેલા નામના ૧૪ વર્ષીય સગીરને ઇજાઓ પહોંચી હતી જેથી કરીને તેને અહિંની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.






Latest News