મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે બે બાઈક સામસામે અથડાતા યુવાન અને વૃદ્ધ સારવારમાં


SHARE













મોરબીના લાલપર પાસે બે બાઈક સામસામે અથડાતા યુવાન અને વૃદ્ધ સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા લાલપર ગામ નજીક હોટલ પાસે બે ટુ-વ્હીલરો સામસામે અથડાયા હતા જેમાં યુવાન અને વૃદ્ધ એમ બે લોકોને ઇજાઓ પહોંચતા સારવારમાં દવાખાને ખસેડાયા છે.

ઉપરોક્ત વાહન અકસ્માતની મળતી માહિતી પ્રમાણે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા લાલપર ગામે શક્તિ કૃપા હોટલ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં બે બાઈક સામસામે અથડાયા હતા તે બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા સુનિલભાઈ સુરેશભાઈ (૩૧) રહે.વિદ્યુતનગર સામાકાંઠે મોરબી-૨ અને મોરબીના લાલપર ગામે રહેતા કરશનભાઈ ખોડીદાસ અઘારા (૬૪) નામના બે લોકોને ઇજાઓ પહોંચી હોય બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે આવેલ પાવનપાર્ક વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ જયંતીભાઈ હાંસલીયા નામના ૪૪ વર્ષના યુવાનને મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી નજીક આવેલ મહેન્દ્રસિંહ હોસ્પિટલ પાસે કાર અને બાઈક વચ્ચે થયેલ અકસ્માત બનાવમાં ઇજાઓ થવાથી તેમને સારવારમાં દવાખાને લઈ જવાયા હતા.

મારામારીમાં ઈજા

મોરબીના સામાકાંઠે એલઇ કોલેજના સિક્યુરિટી ગેઇટ પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા ઘનશ્યામસિંહ સરદારસિંહ ઝાલા નામના ૪૪ વર્ષીય યુવાનને સિવિલે સારવારમાં ખસેડાયા હતા.જેથી હાલ બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા નોંધ કરીને મારામારીના બનાવના કારણ સંદર્ભે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.જ્યારે મોરબીના નવલખી રોડ ઉપર રોકડિયા હનુમાન મંદિર પાસે રહેતા રીનાબેન માલદેવભાઈ રાઠોડ નામની ૩૫ વર્ષીય મહિલાને તેના રહેણાંક વિસ્તાર પાસે મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી જેથી કરીને રીનાબેનને પણ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના શનાળા ગામ નજીક આવેલા રાજપર ગામ પાસે બાઈકમાં જતા સમયે બાઈકમાંથી નીચે પડી જતા જામનગરના જોડિયા તાલુકાના પીઠડ ગામે રહેતા વિવેક શૈલેષભાઈ વાઘેલા નામના ૧૪ વર્ષીય સગીરને ઇજાઓ પહોંચી હતી જેથી કરીને તેને અહિંની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.






Latest News