ટંકારાના ધ્રુવનગર ખાતે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી પધાર્યા
SHARE
ટંકારાના ધ્રુવનગર ખાતે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી પધાર્યા
પશ્ચિમામ્નાય અનંત વિભુષિત દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામીશ્રીસદાનંદ સરસ્વતીજી મહારાજના શંકરાચાર્યપીઠાધીરોહણ એવું મહાભિનંદન સમારોહ નિમિત્તે આજે ઉત્તરામ્નાય અનંત વિભુષિત બદ્રીનાથ જયોતિષપીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી ટંકારાના ધુવનગર ખાતે આવ્યા હતા અને ટંકારા રાજવી પરિવારના ધુવકુમારસિંહ જાડેજા પરીવાર દ્વારા શંકરાચાર્યનું સ્વાગત કર્યું. અને ત્યાં ટુકુ રોકણ કરી લોકોને દર્શનનો લાભ આપી દ્રારકા જવા માટે જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજીએ પ્રસ્થાન કર્યું હતું.