મોરબીના વાધરવા નજીક ટ્રેલર પાછળ ટ્રેલર અથડાતા એકનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં મોરબી શહેર-ગ્રામ્ય વિસ્તારમાં એક જ દિવસમાં બાળક સહિત 10 જેટલા લોકોને કૂતરાએ બચકા ભર્યા મોરબીના લક્ષ્મીનાગર ગામ પાસે ડમ્પરની કેબિનમાં લાગી આગ મોરબીના જુદાજુદા વિસ્તારમાં થતાં કમોમે ગેરરીતિ થતી હોવાની રાજુયાતોને ધ્યાને ન લેતા ધરણાની ચીમકી મોરબી મનપા દ્વારા સૂરજબાગ-અયોધ્યાપૂરી રોડ ઉપરથી જોખમી વૃક્ષો દૂર કરાયા મોરબીમાં 90 જર્જરિત મકાનોમાં પાણી-ડ્રેનેજ લાઇન બંધ કરતી મનપા મોરબીમાં સગીરાનો સોશ્યલ મીડિયાથી પીછો કરી જાતીય સતામણી કરવાના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર કારમાં આગ લાગી હોવાની મોકડ્રિલ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા પડતર માંગણીઓને લઈને કલેક્ટરને રજૂઆત: આંદોલનની ચીમકી


SHARE













મોરબી ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા પડતર માંગણીઓને લઈને કલેક્ટરને રજૂઆત: આંદોલનની ચીમકી

ગુજરાતમાં ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા વર્ષોથી પડતર પ્રશ્નો બાબતે અવારનવાર સરકારને મૌખીક તેમજ લેખીત રજુઆતો કરવામાં આવી છે તો પણ આજ દિન સુધી કોઈ પણ પ્રતિસાદ મળ્યો નથી જેથી ગત તા.૫/૧૦ સુધીની સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું તો પણ કોઈ પ્રતિસાદ નહી મળતા તા.૬/૧૦ થી ગુજરાત ભરમાંથી સાધુ સંતો પ્રતિક ઉપવાસ માટે ઉપવાસ છાવણી (સત્યાગ્રહ છાવણી) ગાંધીનગર ખાતે એકત્ર થયેલ હતા અને ત્યાર બાદ ગુજરાતનાં મહેસૂલ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંધવીએ બે વખત મિટિંગ માટે આગેવાનો બોલાવ્યા હતા અને તે કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી આગામી તા.૧૩/૧૦ નાં રોજ પ્રતિનિધી મંડળને મુલાકાતનો સમય આપેલ છે જે મુલાકાત આખરી તથા સુઃખદ ૨હે તેમજ સાધુ સમાજના હિતમાં નિર્ણય લેવામાં આવે તેવી આગેવાનો અપેક્ષા રાખી રહ્યા છે અને જો સાધુ સમાજના હીતમાં કોઈ ઠોસ નિર્ણય નહી લેવામાં આવે તો ગુજરાત સાધુ સમાજ દ્વારા ગ્રામ્ય કક્ષાએથી લઈને ગાંધીનગર સુધી ધરણાપ્રદર્શન તથા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે વધુમાં મોરબી ત્રિપાંખ સાધુ સમાજના આગેવાન ગુલાબગીરીએ જણાવ્યુ હતું કેવર્ષો પહેલા દિવેલિય માટે સાધુ સંતોને જમીનો આપવામાં આવી છે જો કેતેઓને ખેડૂત ગણવામાં આવતા નથી જેથી કરીને તેઓએને ખેડૂત ગણવામાં આવે તે સહિતની માંગણીઓ સરકાર સમક્ષ હાલમાં મૂકવામાં આવી છે






Latest News