મોરબી મહાપાલિકાના હદ વિસ્તારમાંથી છેલ્લા મહિનાઓમાં 3,502 પશુ ડબ્બે પુરાયા મોરબીમાં રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે નિઃશુલ્ક હોમિયોપેથીક કેમ્પ યોજાયો મોરબી પાટીદાર એડવોકેટ લીગલ સેલ-જીવાપરના ખેડૂતોની ટ્રેક્ટર રેલી યોજાઇ મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનના સમર્થનમા આવેલા કલાકાર હકાભા ગઢવીને છાવણીએ આવવાની મનાઈ ! મોરબી જિલ્લામાં જમીન દફતર ખાતાની સેવાઓનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ: નાગરિકોની સુવિધા માટે નવી ૬ કચેરીઓ કાર્યરત વિદેશ અભ્યાસ લોન બની પથદર્શક: હળવદ તાલુકાનાં મનીષ જાદવનું જર્મનીમાં ભણવાનું સપનું થયું સાકાર નમો સ્વચ્છતા અભિયાનનો મોરબી મનપાના મેયર ઉત્તમ સુરાણી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની હાજરીમાં પ્રારંભ મોરબી જિલ્લામાં સહકાર થી સમૃદ્ધિના સંકલ્પ સાથે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું 
Breaking news
Morbi Today

વાંકાને૨માં લક્ષ્મીપરાથી કોલેજ સુધીના ભંગાર રસ્તાને રીપેર કરવા માટે સ્થાનિકોએ કરી રજૂઆત


SHARE









વાંકાને૨માં લક્ષ્મીપરાથી કોલેજ સુધીના ભંગાર રસ્તાને રીપેર કરવા માટે સ્થાનિકોએ કરી રજૂઆત

વાંકાનેર શહેરના લોકોને લક્ષ્મીપરાથી લઈને કોલેજ સુધી જવાનો રસ્તો માથાના દુખાવા સમાન છે અને છેલ્લા પાંચ વર્ષથી આ રોડ બીસ્માર હાલત છે જેથી કરીને લોકોના આરોગ્યને તેમજ તેઓના વાહનોને ભારે નુકશાન થઈ રહ્યું છે આ રોડ ઉપર હાલમાં કયાય ડામર કે સીમેન્ટનુ નામોનીશાન જોવા મળી રહ્યું નથી જેથી કરીને સતત ધૂળની ડમરીઓ ઊડતી હોય છે શહે૨નો આ મુખ્ય રસ્તો હોવાથી ત્યાંથી સરકારી વાહનો જેવા કે એસ.ટી. બસ, એમ્બયુલન્સ વિગેરે તેમજ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓના વાહનોની અવર જવર વધારે રહેતી હોય છે આટલું જ નહીં કોર્ટ, પ્રાંત અધિકારીની કચેરી અને પોલીસ સ્ટેશને અવર જવર કરતાં વાહનો આ રોડેથી જ પસાર થતાં હોય છે તો પણ રોડને કેમ રીપેર કરવામાં આવતો નથી તે સૌથી મોટો સવાલ છે આ રસ્તો તાત્કાલીક ધોરણે રીપેર કરી યોગ્ય કરવામા નહી આવે તો ભવિષ્યમાં લોકોને તેમજ તેઓના વહોને વધુ નુકશાન થાય તેવી શકયતા છે માટે જે ઓથોરીટીની અન્ડરમા આ રોડ આવતો હોય આવતો હોય તેને તાત્કાલીક ધોરણે રોડ રીપેર થાય અને યોગ્ય થાય તેવી કામગીરી કરવા માટેની માંગ કરવામાં આવી છે






Latest News