મોરબીના વાધરવા નજીક ટ્રેલર પાછળ ટ્રેલર અથડાતા એકનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં મોરબી શહેર-ગ્રામ્ય વિસ્તારમાં એક જ દિવસમાં બાળક સહિત 10 જેટલા લોકોને કૂતરાએ બચકા ભર્યા મોરબીના લક્ષ્મીનાગર ગામ પાસે ડમ્પરની કેબિનમાં લાગી આગ મોરબીના જુદાજુદા વિસ્તારમાં થતાં કમોમે ગેરરીતિ થતી હોવાની રાજુયાતોને ધ્યાને ન લેતા ધરણાની ચીમકી મોરબી મનપા દ્વારા સૂરજબાગ-અયોધ્યાપૂરી રોડ ઉપરથી જોખમી વૃક્ષો દૂર કરાયા મોરબીમાં 90 જર્જરિત મકાનોમાં પાણી-ડ્રેનેજ લાઇન બંધ કરતી મનપા મોરબીમાં સગીરાનો સોશ્યલ મીડિયાથી પીછો કરી જાતીય સતામણી કરવાના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર કારમાં આગ લાગી હોવાની મોકડ્રિલ યોજાઇ
Breaking news
Morbi Today

વાંકાને૨માં લક્ષ્મીપરાથી કોલેજ સુધીના ભંગાર રસ્તાને રીપેર કરવા માટે સ્થાનિકોએ કરી રજૂઆત


SHARE













વાંકાને૨માં લક્ષ્મીપરાથી કોલેજ સુધીના ભંગાર રસ્તાને રીપેર કરવા માટે સ્થાનિકોએ કરી રજૂઆત

વાંકાનેર શહેરના લોકોને લક્ષ્મીપરાથી લઈને કોલેજ સુધી જવાનો રસ્તો માથાના દુખાવા સમાન છે અને છેલ્લા પાંચ વર્ષથી આ રોડ બીસ્માર હાલત છે જેથી કરીને લોકોના આરોગ્યને તેમજ તેઓના વાહનોને ભારે નુકશાન થઈ રહ્યું છે આ રોડ ઉપર હાલમાં કયાય ડામર કે સીમેન્ટનુ નામોનીશાન જોવા મળી રહ્યું નથી જેથી કરીને સતત ધૂળની ડમરીઓ ઊડતી હોય છે શહે૨નો આ મુખ્ય રસ્તો હોવાથી ત્યાંથી સરકારી વાહનો જેવા કે એસ.ટી. બસ, એમ્બયુલન્સ વિગેરે તેમજ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓના વાહનોની અવર જવર વધારે રહેતી હોય છે આટલું જ નહીં કોર્ટ, પ્રાંત અધિકારીની કચેરી અને પોલીસ સ્ટેશને અવર જવર કરતાં વાહનો આ રોડેથી જ પસાર થતાં હોય છે તો પણ રોડને કેમ રીપેર કરવામાં આવતો નથી તે સૌથી મોટો સવાલ છે આ રસ્તો તાત્કાલીક ધોરણે રીપેર કરી યોગ્ય કરવામા નહી આવે તો ભવિષ્યમાં લોકોને તેમજ તેઓના વહોને વધુ નુકશાન થાય તેવી શકયતા છે માટે જે ઓથોરીટીની અન્ડરમા આ રોડ આવતો હોય આવતો હોય તેને તાત્કાલીક ધોરણે રોડ રીપેર થાય અને યોગ્ય થાય તેવી કામગીરી કરવા માટેની માંગ કરવામાં આવી છે






Latest News