મોરબીના વિકાસ વિદ્યાલયમાં મંત્રીની હાજરીમાં અનાથ દીકરીના ધામધુમથી લગ્ન યોજાશે
SHARE
મોરબીના વિકાસ વિદ્યાલયમાં મંત્રીની હાજરીમાં અનાથ દીકરીના ધામધુમથી લગ્ન યોજાશે
મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ વિકાસ વિદ્યાલયમાં રહેતી અનાથ દીકરીના ધામધુમથી લગ્ન કરવા માટેની તૈયારી કરવામાં આવી રહી છે અને રાજ્યના મંત્રીની હાજરીમાં તેઓના આશીર્વાદ સાથે આ દીકરી પ્રભુતામાં ડગ માંડશે
મોરબીના શોભેશ્વર રોડ ઉપર વિકાસ વિદ્યાલય આવેલ છે ત્યાં રહેતી દીકરીઓમાંથી એક દીકરીના પાંચ વર્ષ પહેલા લગ્ન કરાવવામાં આવ્યા હતા ત્યાર બાદ આગમી ૧૬ મી તારીખે ફરી વિકાસ વિદ્યાલયમાં લગ્નની શરણાઈ ગુંજશે. ત્યાંના સંચાલક સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે, ૩ વર્ષની ઉંમરે મોરબી જિલ્લાના લજાઈ ગામ પાસેથી દીપાલી કે જેના હાલમાં લગ્ન થવાના છે તે મળી આવી હતી અને આગામી તા. ૧૬ ના રોજ મહેન્દ્રનગર ગામે રહેતા ધવલકુમાર રમેશભાઈ કાલરીયા સાથે તેના ધામધૂમથી લગ્ન કરવાં આવશે ત્યારે દીપાલીના લગ્ન પ્રસંગે મોરબી માળીયા મિયાણાંના ધારાસભ્ય અને રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજા, સાંસદ મોહનભાઇ કુંડારિયા, કલેકટર જે.બી.પટેલ સહિતના હાજર રહેશે અને આ દીકરીનું કન્યાદાન સદગૃહસ્થ નરેન્દ્ર રઘુરામ રામાનુજ કરશે તેમજ દાતાઓના સહયોગથી આ દીકરીને સોના ચાંદીના દાગીના સહિતનો કરીયાવર આપવામાં આવશે