મોરબીમાં માતા-પિતાથી વિખૂટી પડેલી ૩ વર્ષની બાળકીનું પરિવાર સાથે કરાવ્યું મિલન મોરબી: પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર-૨૦૨૬ માટે ઓનલાઇન નોમિનેશન કરાવવું મોરબીના નારણકા ગામના ખેડૂત ગૌ-આધારિત પ્રાકૃતિક કૃષિ થકી બન્યા પ્રગતિશીલ ખેડૂત મોરબીમાં લગ્નપ્રસંગે મુખ્યમંત્રી બાળસેવા યોજના થકી સરકારે કર્યું દીકરીનું કન્યાદાન મોરબીમાં રસ્તો ભુલી ગયેલા વૃદ્ધાનું પરિવાર સાથે અભયમની ટીમે મિલન કરાવ્યુ મોરબીમાં પીજીવીસીએલના અધિકારી-કર્મચારીઓ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઇ મોરબીના જેતપર ગામે ચાલતા આંદોલનમાં ખેડૂતોની માંગણીઓને સંતોષવા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર હાલમાં ગાંધીજીના માર્ગે ચાલતું આંદોલન, હિંસક બનતા વાર લાગશે નહીં: મોરબીના જેતપર ગામે આવેલ બાવડી ગામના ખેડૂતોની સરકારને ચેતવણી
Breaking news
Morbi Today

મોરબીના વિકાસ વિદ્યાલયમાં મંત્રીની હાજરીમાં અનાથ દીકરીના ધામધુમથી લગ્ન યોજાશે


SHARE









મોરબીના વિકાસ વિદ્યાલયમાં મંત્રીની હાજરીમાં અનાથ દીકરીના ધામધુમથી લગ્ન યોજાશે

મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ વિકાસ વિદ્યાલયમાં રહેતી અનાથ દીકરીના ધામધુમથી લગ્ન કરવા માટેની તૈયારી કરવામાં આવી રહી છે અને રાજ્યના મંત્રીની હાજરીમાં તેઓના આશીર્વાદ સાથે આ દીકરી પ્રભુતામાં ડગ માંડશે

મોરબીના શોભેશ્વર રોડ ઉપર વિકાસ વિદ્યાલય આવેલ છે ત્યાં રહેતી દીકરીઓમાંથી એક દીકરીના પાંચ વર્ષ પહેલા લગ્ન કરાવવામાં આવ્યા હતા ત્યાર બાદ આગમી ૧૬ મી તારીખે ફરી વિકાસ વિદ્યાલયમાં લગ્નની શરણાઈ ગુંજશે. ત્યાંના સંચાલક સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે, ૩ વર્ષની ઉંમરે મોરબી જિલ્લાના લજાઈ ગામ પાસેથી દીપાલી કે જેના હાલમાં લગ્ન થવાના છે તે મળી આવી હતી અને આગામી તા. ૧૬ ના રોજ મહેન્દ્રનગર ગામે રહેતા ધવલકુમાર રમેશભાઈ કાલરીયા સાથે તેના ધામધૂમથી લગ્ન કરવાં આવશે ત્યારે દીપાલીના લગ્ન પ્રસંગે મોરબી માળીયા મિયાણાંના ધારાસભ્ય અને રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજા, સાંસદ મોહનભાઇ કુંડારિયા, કલેકટર જે.બી.પટેલ સહિતના હાજર રહેશે અને આ દીકરીનું કન્યાદાન સદગૃહસ્થ નરેન્દ્ર રઘુરામ રામાનુજ કરશે તેમજ દાતાઓના સહયોગથી આ દીકરીને સોના ચાંદીના દાગીના સહિતનો કરીયાવર આપવામાં આવશે






Latest News