મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના ક્રિકેટ એસો.ના હેડ કોચની સૌરાષ્ટ્રની સિનિયર મહિલા ટીમના હેડ કોચ તરીકે વરણી


SHARE







મોરબીના ક્રિકેટ એસો.ના હેડ કોચની સૌરાષ્ટ્રની સિનિયર મહિલા ટીમના હેડ કોચ તરીકે વરણી

મોરબીના જાણીતા ક્રિકેટર અને જીલ્લા ક્રિકેટ એસો.ના મુખ્ય કોચ તથા  સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ની સિનિયર મહિલા ટીમના હેડ બેટિંગ અને ફિલ્ડિંગ કોચ નિશાંત જાનીને વધુ એક સિદ્ધિ સાંપડી છે. તાજેતરમાં તેમને સૌરાષ્ટ્રની સિનિયર મહિલા ટીમના ૨૦૨૨-૨૩ ની સીઝનના હેડ બેટીંગ અને ફિલ્ડીંગ કોચ તરીકે નિમણુંક કરવાંમાં આવી છે.

સૌરાષ્ટ્રની ટીમ હાલમાં ટી-૨૦ ટૂર્નામેન્ટ રમશે. જેમાં આ વર્ષે બીસીસીઆઈ દ્વારા મહિલા આઇપીએલનું પણ આયોજન કરવામાં આવશે. જેમાં મેચ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શકે સૌરાષ્ટ્રના મહિલા ખેલાડીઓ તડામાર પ્રેક્ટિસ કરી રહ્યા છે. આ અંગે નિશાંત જાનીએ વધુમાં જણાવ્યું હતું કે, આ સીઝન અને ટી-૨૦ બન્ને એક જ દિવસે યોજાશે. ત્યારે આ સીઝનમાં સારૂ પરફોર્મન્સ થાય તેવી પ્રત્યેક ખેલાડીઓમહેનત કરી રહ્યા છે. અને તેમાં ખેલાડીઓને યોગ્ય ટેક્નિક, મેચ પૂર્વેની માનસિક તૈયારી અને તેમનામાં રહેલા કૌશલ્યના વિકાસ પર કોચ જાની અને સ્ટાફ કામ કરી રહયા છે આ તકે નિશાંત જાનીએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહનો આભાર વ્યક્ત કર્યો હતો અને મોરબી જીલ્લા ક્રિકેટ એસોસીએશનના પ્રમુખ કાંતિભાઈ અમૃતિયાનો સતત પ્રેરક માર્ગદર્શન આપવા બદલ તેમનો પણ આભાર માનીને કૃતજ્ઞતા લાગણી વ્યક્ત કરી હતી.






Latest News