મોરબીમાં ગુરૂવારે કોંગ્રેસની યુવા પરિવર્તન યાત્રા યોજાશે
SHARE
મોરબીમાં ગુરૂવારે કોંગ્રેસની યુવા પરિવર્તન યાત્રા યોજાશે
સોમનાથથી લઈને સૂઇ ગામ સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા યુવા પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને બુધવારે રાતે આ યાત્રા મોરબી આવી જશે અને ગુરૂવારે સવારે મોરબી યુવા અને જિલ્લા કોંગ્રેસનાં હોદેદારો, આગેવાનો અને કાર્યકરોની હાજરીમાં ભક્તિનગર સર્કલથી રામધન આશ્રમ સુધી બાઈક રેલી યોજાશે
આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને જુદાજુદા પક્ષ દ્વારા યાત્રાઓ કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ દ્વારા સોમનાથથી લઈને સૂઇગામ સુધી યુવા પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેની સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ડો. ઇન્દ્રવિજ્યસિંહ ગોહિલ અને ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાની આગેવાનીમાં પરીવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને તા. ૧૩ ના રોજ સવારે ૯ વાગ્યે ભક્તિનગર સર્કલથી મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ સુધી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરોને હાજર રહેવા માટે મોરબી જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ અલ્પેશ એચ. કોઠીયાએ જણાવ્યુ છે