મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

માળિયા (મી) તાલુકામાં આવતી નર્મદા કેનાલમાં પાણી છોડવા જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખની માંગ: આંદોલનની ચીમકી


SHARE













માળિયા (મી) તાલુકામાં આવતી નર્મદા કેનાલમાં પાણી છોડવા જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખની માંગ: આંદોલનની ચીમકી

નર્મદાની મળિયા કેનાલ હાલમાં ચાલુ જ છે તો પણ મોરબી જીલ્લાના માળિયા તાલુકામાં આવેલ નર્મદાની કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોને હાલમાં સિચાઈ માટે પાણી મળી રહ્યું નથી આ વાતને સાંભળીને જરાપણ ચોકીજવાની જરૂર નથી કેમ કે, નર્મદાની માળીયા કેનાલમાં છેલ્લા ઘણા દિવસોથી પાણી બંધ કરી દેવામાં આવ્યું છે જેથી કરીને મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખે તાત્કાલિક પાણી છોડવાની માંગ કરેલ છે અને જો પાણી નહિ છોડવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે

નર્મદાની કેનાલમાંથી સિચાઈ માટેનું પાણી આવે તો જ માળિયા તાલુકાના ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં જે વાવણી કરવામાં આવી છે તે પાકને બચાવી શકાય તેમ છે જેથી કરીને વારંવાર રજૂઆતો પાણી છોડવા માટે કરવામાં આવી રહી છે તો પણ કેનાલમાં હજુ સુધી પાણી છોડવામાં આવ્યું નથી જેથી કરીને મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ જયંતિભાઈ પટેલ દ્વારા નર્મદાની કેનાલમાં તાત્કાલિક પાણી છોડવામાં આવે અને છેવાડાના ગામ સુધી નર્મદાનું પાણી સિચાઈ માટે ખેડૂતોને પાણી મળે તે જરૂરી છે નહીં તો ખેડૂતોના ખેતરમાં મગફળી, કપાસ અને તલ સહિતના પાક નિષ્ફળ જાય તેમ છે અને જો પાણી સમયસર નહિ આપવામાં આવે તો આગમી દિવસોમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે






Latest News