મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે ગૌશાળાના સંચાલકને માર મારનારા બનાસકાંઠાના રબારી સામે ગુનો નોંધાયો


SHARE







મોરબીના રવાપર ગામે ગૌશાળાના સંચાલકને માર મારનારા બનાસકાંઠાના રબારી સામે ગુનો નોંધાયો

મોરબીના રવાપર ગામ પાસે આવેલ માધવ ગૌશાળામાંથી ત્યાં તબેલો બનાવનારા મૂળ બનાસકાંઠાના રબારીને દૂધ આપવામાં આવતું હતું જો કે, તે દૂધના હિસાબમાં ગોટાળા કરતો હતો જેથી કરીને તેને દૂધ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેનો રોષ રાખીને તે શખ્સો માધવ ગૌશાળાનું  સંચાલન સાંભળતા બે વૃદ્ધ ઉપર હુમલો કર્યો હતો અને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી પોલીસે વૃદ્ધની ફરિયાદ લઈને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની  જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ગામે આવેલ રાધે એપાર્ટમેન્ટમાં શંકરના મંદિર સામે રહેતા નરશીભાઇ વેલજીભાઇ ચાડમીયા જાતે પટેલ (૬૧)એ હાલમાં પુંજાભાઇ રબારી રહે. હાલ રવાપર માધવ ગૌશાળા પાછળ પાવર હાઉસ પાસે મોરબી મુળ બનાસકાંઠા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી રવાપર ધુનડા રોડ માધવ ગૌશાળા આવેલ છે જેનું સંચાલન રવાપર ગામ સમસ્ત દ્વારા કરવામાં આવે છે અને માધવ ગૌશાળાની કમીટીના ફરિયાદી સભ્ય છે અને આ ગૌશાળામાંથી છેલ્લા દોઢેક વર્ષથી આરોપીને ગૌશાળાની ગાયોનુ દુધ ભરી આપતા હતા જો કે તે દુધના હિસાબમા ગોટાળા કરતો હતો જેથી કરીને તેને દૂધ આપવાનું ગામના લોકો તેમજ માધવ ગૌશાળાની કમીટીએ નક્કી કર્યું હતું જેથી કરીને તેનો ખાર રાખીને નરશીભાઇ વેલજીભાઇ ચાડમીયા તથા સાહેદ વસંતભાઇ માધવ ગૌશાળાએ બેઠેલ હતા ત્યારે આરોપીએ ત્યાં આવીને ઝઘડો કર્યો હતો અને ગાળો આપીને ઝપાઝપી કરી હતી અને ફરિયાદીને ધક્કો મારી પાડી દીધા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી પોલીસે વૃદ્ધની ફરિયાદ લઈને ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News