મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

મોરબીના રંગોલી ખમણમાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત


SHARE







મોરબીના રંગોલી ખમણમાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત

મોરબી શહેરના સનાળ રોડ ઉપર મહેશ હોટલની સામેના ભાગમાં આવેલ રંગોલી ખમણ હાઉસમાં ખમણ બનાવવા માટે ગેસ ચાલુ કરવા જતાં અકસ્માતે આગ લાગી હતી ત્યારે આખા શરીરે યુવાન દાઝી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું ગઈકાલે મૃત્યુ નીપજ્યું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ રંગોલી ખમણ હાઉસમાં કામગીરી દરમિયાન મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં એ.જે. કંપની પાછળ રાજબેક વાળી શેરીમાં રહેતો અજય નાયક (૩૦) નામનો યુવાન ગત તા. ૨/૧૦ ના રોજ દાઝી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન ગઈકાલે તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં પોલીસ સૂત્રોના કહેવા મુજબ રંગોલી ખમણ હાઉસમાં ખમણ બનાવવા માટેની કામગીરી દરમિયાન ગેસ ચાલુ કરવા જતા સમયે અકસ્માતે આગ લાગતા અજય નાયક આખા શરીરે દાજી ગયો હતો અને ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું છે

યુવાનનું મોત

મોરબી તાલુકાના નાગડાવાસ ગામે રહેતા નવલસીંગ ટુટીયા જાતે તહેજ (૪૦) દેવાયતભાઈ આહીરના ખેતરથી પાછા ચાલીને નાગડાવાસ ગામ તરફ આવતા હતા ત્યારે સાડા નવ વાગ્યાના અરસામાં ગામના પાદરમાં તેને ચક્કર આવતા તે પડી ગયા હતા જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટર તેને મૃત જાહેર કર્યા હતા જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News