મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં હડતાલ પર ગયેલ વીસીઇને છુટા કરવા આદેશ


SHARE







મોરબીમાં હડતાલ પર ગયેલ વીસીઇને છુટા કરવા આદેશ

રાજ્યમાં વીસીઇ તેની પડતર માંગણીઓને લઈને આંદોલન કરી રહ્યા છે અને હડતાળ ઉપર  છે ત્યારે સરકારે તેની માંગણી સંતોષવાને બદલે તાત્કાલિક અસરથી છુટ્ટા કરવાનો આદેશ કરવામાં આવેલ છે જેથી કરીને વીસીઇ દ્વારા આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવે તેવા સંકેત છે

ગ્રામ પંચાયતમાં વિવિધ કામગીરી માટે વીસીઇની વર્ષો પહેલા ભરતી કરવામાં આવી છે જો કે તેને નજીવા કમિશન આપવામાં આવે છે જેથી કરીને તેઓએ પગાર સહિતના પ્રશ્ન લઈને આંદોલન શરૂ કર્યું છે અને અચોક્કસ મુદતની હડતાલ ઉપર છે ત્યારે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે વીસીઇ ના પ્રશ્નોને ઉકેલવાને બદલે હવે ઉપરથી વીસીઇને છૂટા કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. અને મોરબી તાલુકામાં હડતાલ પર ઉતરેલા ૪૨ જેટલા કર્મીઓને તાત્કાલિક અસરથી છૂટા કરીને તેમના સ્થાને નવા કર્મચારીઓની ભરતી કરવાનો આદેશ ટીડીઓએ કરેલ છે અને જો આ નિર્ણયને રદ કરવામાં નહીં આવે તો આગમી તા ૧૭ ઓક્ટોબરના રોજ ગાંધીચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી વીસીઈએ ઉચ્ચારી હતી






Latest News