મોરબીમાં હડતાલ પર ગયેલ વીસીઇને છુટા કરવા આદેશ
SHARE
મોરબીમાં હડતાલ પર ગયેલ વીસીઇને છુટા કરવા આદેશ
રાજ્યમાં વીસીઇ તેની પડતર માંગણીઓને લઈને આંદોલન કરી રહ્યા છે અને હડતાળ ઉપર છે ત્યારે સરકારે તેની માંગણી સંતોષવાને બદલે તાત્કાલિક અસરથી છુટ્ટા કરવાનો આદેશ કરવામાં આવેલ છે જેથી કરીને વીસીઇ દ્વારા આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવે તેવા સંકેત છે
ગ્રામ પંચાયતમાં વિવિધ કામગીરી માટે વીસીઇની વર્ષો પહેલા ભરતી કરવામાં આવી છે જો કે તેને નજીવા કમિશન આપવામાં આવે છે જેથી કરીને તેઓએ પગાર સહિતના પ્રશ્ન લઈને આંદોલન શરૂ કર્યું છે અને અચોક્કસ મુદતની હડતાલ ઉપર છે ત્યારે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે વીસીઇ ના પ્રશ્નોને ઉકેલવાને બદલે હવે ઉપરથી વીસીઇને છૂટા કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. અને મોરબી તાલુકામાં હડતાલ પર ઉતરેલા ૪૨ જેટલા કર્મીઓને તાત્કાલિક અસરથી છૂટા કરીને તેમના સ્થાને નવા કર્મચારીઓની ભરતી કરવાનો આદેશ ટીડીઓએ કરેલ છે અને જો આ નિર્ણયને રદ કરવામાં નહીં આવે તો આગમી તા ૧૭ ઓક્ટોબરના રોજ ગાંધીચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી વીસીઈએ ઉચ્ચારી હતી