મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબીમાં ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા રાહતદરે મીઠાઈ વિતરણ: આઇએમએ દ્વારા ગર્ભ સંસ્કાર સેમીનાર 


SHARE









મોરબીમાં ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા રાહતદરે મીઠાઈ વિતરણ: આઇએમએ દ્વારા ગર્ભ સંસ્કાર સેમીનાર 

મોરબીમાં ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષ પણ દિવાળી ઉપર રાહતદરે મીઠાઈ ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું છે ત્યારે આગામી તહેવારને ધ્યાને લઈને જરૂરિયાતમંદ લોકો માટે રાહતદરે મીઠાઈ અને ફરસાણ વિતરણ કરવાનું આયોજન કરાયું છે જેમાં પાંચ દિવસ સુધી બુકિંગ કરવામાં આવશે અને તા. ૨૨ ના રોજ સાંજે ૪ થી ૮ કલાક સુધી ઓમ શાંતિ વિધાલય શનાળા રોડ મોરબી ખાતે વિતરણ કરવામાં આવશે

ગર્ભ સંસ્કાર
મોરબીમાં આઇએમએ, મોરબી ઓબ્સટ્રેટીકસ ગાયનેક સોસાયટી અને એસોસીએશન ઓફ પેડીયાટ્રીશયન દ્વારા ગર્ભ સંસ્કાર સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે અને તા. ૧૫ ને શનિવારે બપોરે ૩ થી ૫: ૩૦ કલાકે, તા. ૧૬ ને રવિવારે સવારે ૭ થી ૯: ૩૦ કલાકે અને તા. ૧૬ ને રવિવારે બપોરે ૩ થી ૫: ૩૦ કલાક સુધી આઈ.એમ.એ. હોલ નીલકંઠ સ્કૂલ સામે રવાપર રોડ મોરબી ખાતે રાખેલ છે જેમાં સેમીનારમાં ગર્ભમાંના શિશુના વિકાસનું વિજ્ઞાન, ગર્ભાવસ્થામાં આસન, પ્રાણાયામ, ધ્યાન તેમજ ગર્ભાવસ્થામાં આહાર-વિહાર સમજ, મંત્રી શ્ર્લોક, પ્રાર્થના અને સંગીતની અસર, ગર્ભાવસ્થામાં પ્રસૃતિ દરમિયાન, પ્રસૃતિ પછીની સંભાળ અને નવજાત શિશુની સંભાળ સહિતના વિષયો પર માર્ગદર્શન આપવામાં આવશે જે સેમીનારમાં ગર્ભવતી સ્ત્રી અને સંતાન ઈચ્છુક સ્ત્રીઓ જોડાઈ સકે છે આ સેમીનારમાં જોડાવવા રજીસ્ટ્રેશન માટે ડો. કૃષ્ણ ચગ મો. ૯૧૦૬૮ ૯૦૮૦૦ પર સંપર્ક કરવા જણાવ્યું છે આ સેમીનારને સફળ બનાવવા આઈએમએ પ્રમુખ ડો. હેમાબેન પટેલ, સેક્રેટરી ડો. કૃષ્ણ ચગ તેમજ પ્રોજેક્ટ ચેરમેન ડો. રમેશ બોડા અને ડો. જયેશ પનારાની ટીમ જહેમત ઉઠાવી રહી છે






Latest News