મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

મોરબીના ગાળા ગામ પાસે જર્જરિત પુલ ઉપરથી પસાર થતા યુવાનનું ખાડાના લીધે અકસ્માત થતા મોત


SHARE







મોરબીના ગાળા ગામ થી જેતપર રોડ તરફ જવાના રસ્તા ઉપર રેલવેનો વર્ષો જૂના પુલ આવેલ છે તેના ઉપરથી હાલમાં વાહન વ્યવહાર કાર્યરત કરવામાં આવેલ છે અને છેલ્લા ઘણા સમયથી પુલ જર્જરિત છે તો પણ તેનું રિનોવેશન કામ કરવામાં આવતું નથી અને નવો બ્રિજ પણ બનાવવામાં આવતો નથી જેથી કરીને જોખમી પુલ ઉપરથી લોકોને નાછૂટકે પસાર થવું પડતું હોય છે અને અવારનવાર નાના-મોટા અકસ્માતો પણ આ જગ્યા ઉપર સર્જાતા હોય છે 

દરમિયાન ગુરુવારે રાત્રિનાં સમયે પુલ ઉપર પડેલા ખાડાએ આશા સ્પદ યુવાનનો ભોગ લીધેલ છે અને છાતીમાં ગંભીર ઇજા થવાના કારણે યુવાનનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી પ્રમાણે મૃતક યુવાન મૂળ સાપર ગામનો રહેવાસી છે અને હાલમાં મોરબીના ત્રાજપર વિસ્તારમાં રહે છે તેવી વિગતો મળી છે જોકે તેનું નામ સહિતની વિગતો મેળવવા માટેની કાર્યવાહી હાલમાં પોલીસ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે

અત્રે ઉલ્લેખનીય છે કે એક નહીં પરંતુ અનેક વખત મોરબીના ગાળા ગામથી જેતપર તરફ જવા માટેના આ પુલને રીપેર કરવા માટે થઈને રજૂઆતો કરવામાં આવી છે પરંતુ બેદરકાર અધિકારીઓ અને બેજવાબદાર નેતાઓના કારણે આ પુલનું રીપેરીંગ કામ આજની તારીખે થયેલ નથી અને જર્જરીત પુલ ઉપરથી જીવના જોખમે લોકો પોતાના વાહન લઈને અવરજવર કરતા હોય છે તે હકીકત છે દરમિયાન આજે આશાસ્પદ યુવાનનું જીવલેણ અકસ્માતમાં મોત નિપજ્યુ છે હજુ આગામી દિવસોમાં આવી જ રીતે કેટલા લોકોના મૃત્યુ નિપજે તેની રાહ તંત્ર દ્વારા જોવાઈ રહી છે તે સૌથી મોટો સવાલ છે






Latest News