લોકોનો કરંટ જોતા ગુજરાત વિધાનસભામાં 150 પ્લસ, દેશનું ગ્રોથ એન્જન બનશે ગુજરાત: પિયુષ ગોયેલ
મોરબીમાં બેંકના ખાતેદારનું અવસાન થતાં વિમાના પાંચ લાખનો ચેક પરિવારને અપાયો
SHARE
મોરબીમાં બેંકના ખાતેદારનું અવસાન થતાં વિમાના પાંચ લાખનો ચેક પરિવારને અપાયો
સહકારી ક્ષેત્રમાં અગ્રીમતા ધરાવતી ધી મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડની મોરબી શાખાના બચત ખાતુ ધરાવતા ખાતેદાર ચિરાગ અનિલભાઈ ઓરિયાનું વાહન અકસ્માતમાં મૃત્યુ થયું હતું. જેની મોરબી શાખાના મિલનભાઈ શેરસિયાને જાણ થતાં તેમણે તુરંત જ મૃતક ચિરાગભાઈના પરિવારનો સંપર્ક કર્યો હતો અને અકસ્માત વિમા પોલીસી વિશે માહિતી આપી હતો અને ક્લેઈમની પ્રોસેસ કરીને અકસ્માત વિમાના પાંચ લાખ રૂપિયાનો ચેક મૃતકના પિતા અનિલભાઈ ઓરિયાને આપ્યો હતો અત્રે ઉલેખનીય છે કે, ધી મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેંક લિમિટેડની આ પોલિસી કોઈપણ જાતના પ્રિમિયમ લીધા વિના બેંક ખાતાધારકોના પહેલા નામમાં રહેલા વ્યક્તિના આકસ્મિક મૃત્યુ વીમો કવર કરે છે. અને હાલમાં મૃતકના પરિવારને ચેક આપવામાં આવતા અનિલભાઈ ઓરિયાએ મોરબી શાખાના મેનેજર જોષીભાઈ અને સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.