મોરબી જિલ્લાના કલેકટર જી.ટી. પંડ્યાને ડેન્ગ્યુ પોઝિટિવ: રાજકોટ સારવારમાં
મોરબીમાં ભૂકંપમાં દિવંગતોના કુટુંબીજનોની ભુજના સ્મૃતિ વન માટે વિગતો મોકલી આપવા અનુરોધ
SHARE
મોરબીમાં ભૂકંપમાં દિવંગતોના કુટુંબીજનોની ભુજના સ્મૃતિ વન માટે વિગતો મોકલી આપવા અનુરોધ
મોરબી સહિત ગુજરાતમાં ભૂકંપમાં ઘણા લોકોના મોત નિપજ્યાં હતા તે દિવંગતોની તેના કુટુંબીજનોને ભુજના સ્મૃતિ વન માટે વિગતો મોકલી આપવા અનુરોધ કરવામાં આવેલ છે અને દિવંગતોના સ્મર્ણાર્થે પરિવારો માટે વૃક્ષારોપણ, ભજન તથા પ્રવાસ મુલાકાતનું આયોજન કરાશે
સને-૨૦૦૧ ભૂકંપમાં અવસાન પામેલ દિવંગતોના કુટુંબીજનોની સ્મૃતિ મેમોરીયલ એન્ડ મ્યુઝીયમ, ભુજમાં ભૂકંપમાં અવસાન પામેલ વ્યક્તિઓના પરિવારો દ્વારા દિવંગતોના સ્મર્ણાર્થે વૃક્ષારોપણ, ભજન, પ્રવાસ તથા મુલાકાતનું આયોજન કરાય તે હેતુથી ભૂકંપની દુર્ઘટનામાં અવસાન પામેલા વ્યકિતનું પુરુનામ, ફોટો (સોફ્ટ કોપી), ૨૬મી જાન્યુઆરી ૨૦૦૧ના સમયની તેમની પ્રોફાઈલ વિગત તથા ગામના નામ સાથેની વિગત મંગાવવામાં આવી છે. આ ઉપરાંત અવસાન પામેલ વ્યકિતના નજીકના કુટુંબીજનોનું પુરુ નામ, દિવંગત વ્યકિત સાથેનો સંબંધ, મોબાઈલ નંબર, ઇ-મેઇલ એડ્રેસ, રહેઠાણનું સરનામું, તથા ગામનું નામ સહિતની વિગતો સંબંધિત મામલતદાર કચેરી અથવા morbiearthquake@gmail.com માં મોકલી આપવા જિલ્લા વહીવટી તંત્ર, મોરબી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.