મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

ટંકારામાં પાણી, જનરેટર અને કિટના અભાવે ડાયાલિસિસ સેન્ટર શોભાના ગાંઠિયા


SHARE









ટંકારામાં પાણી, જનરેટર અને કિટના અભાવે ડાયાલિસિસ સેન્ટર શોભાના ગાંઠિયા

ટંકારાના દર્દીઓ માટે ડાયાલિસિસની સુવિધા ઊભી કરવામાં આવી  છે જો કે, સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે ત્યા પાણી અને લાઈટ જનરેટર અને કિટના અભાવે આ સુવિધાનું બાળ મરણ થયું તેવો ધાટ સર્જાયો છે.

ટંકારામાં કિડનીના દર્દીઓ માટે ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે જેથી દર્દીઓને મોરબી અને રાજકોટના ધક્કા બંધ થઈ જશે તેવી દર્દીઓને આશા હતી જો કે, આ ડાયાલીસીસ સેન્ટરનુ બાળમરણ થયુ હોય એવી પરિસ્થિતિ સામે આવી છે. કેમ કે, અહિયાં પાણી, લાઈટ અને કીટ જ ન હોવાથી ડાયાલીસીસ સેન્ટર બંધ જેવી સ્થિતિ છે અને કિડનીના દર્દીઓને હેરાન થવું પડે છે ત્યારે આ ડાયાલીસીસ સેન્ટરના ઈન્ચાર્જ ડિમ્પલબેન પટેલે જણાવ્યુ હતું કે, પાણીનો ટાંકો ભરાઈએ માટે અવ્યવસ્થા અને લાઈટ જતી રહે તો જનરેટર ન હોય ત્રણ દર્દી છે એમને અન્ય જગ્યાએ સારવાર ચાલુ કરી દીધી છે. તો જીલ્લા કક્ષાએ ડાયાલિસિસ ટેક્નિશિયન હિરેન ગોસાઈએ જણાવ્યુ હતું કે, રાજ્ય આખામાં સેન્ટરો શરૂ કરી દેતા કિટ આપતી કંપની પાસેથી જરૂરી જથ્થો મળી રહ્યો નથી જેથી થોડા દિવસોમાં પરિસ્થિતી થાળે પડી જશે અને ટંકારા સિવિલના ઈન્ચાર્જ અધિક્ષક ડો. પરમારે માહિતી આપતા જણાવ્યુ હતું કે, ઉપરી અધિકારીએ જગ્યા આપવા કહ્યું હતું જે આદેશનું પાલન કર્યું છે ત્યાર આવી બેજવાદરી કોઇની માટે જીવલેણ સાબિત થાય તો તેના માટે જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ છે 






Latest News