મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ગુજરાત ગૌરવ યાત્રાનો રૂટ કોઈએ બદલાવ્યો નથી: રાજભા ઝાલાની સ્પષ્ટતા


SHARE







વાંકાનેરમાં ગુજરાત ગૌરવ યાત્રાનો રૂટ કોઈએ બદલાવ્યો નથી: રાજભા ઝાલાની સ્પષ્ટતા

વાંકાનેરમાં ગુજરાત ગૌરવ યાત્રા યોજાઇ હતી ત્યારે યાત્રાનો રુટ છેલ્લી ઘડીએ ફેરવવામાં આવ્યો હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો ત્યારે રુટ બાબતે વાંકાનેર વિધાનસભા સીટના સભા,‌ સરઘસ અને રેલીના ઇન્ચાર્જ એવા રાજભા ઝાલાએ સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે, રૂટમાં કોઈ ફેરફાર કરેલ નથી બધા જ આક્ષેપો ખોટા છે

ગુજરાત ગૌરવ યાત્રા મોરબી જિલ્લાના વાંકાનેરમાં આવી હતી ત્યારે હોસ્પિટલ બાજુ થઈને સભા એસટીએચએલ સુધી જવાના બદલે અન્ય રુટ ઉપરથી સભા સ્થળ સુધી યાત્રા પહોચી હતી તેવો આક્ષેપો વાંકાનેરના લોકોએ કર્યો હતો અને વાંકાનેર ભાજપના આગેવાન જીતુભાઈ સોમાણીએ પણ જે વિડીયો સોશિઅલ મીડિયામાં મૂક્યો હતો તેમાં તેને જણાવ્યુ હતું કે, સ્વાગત માટેની આયોજન પ્રદેશના ઉપાધ્યક્ષ જયંતિભાઈ પટેલની સાથે વાત કરીને કર્યું હતું જો કે, આ રૂટ મુદે વાંકાનેર વિધાનસભા સીટના સભા,‌ સરઘસ અને રેલીના ઇન્ચાર્જ એવા રાજભા ઝાલાએ સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે, બધા જ આક્ષેપ તદ્દન પાયા વિહોણા છે

વધુમાં તેમણે જણાવ્યુ છે કે, રુટ અગાઉથી નક્કી હતો અને તેની મંજૂરી મામલતદાર કચેરી પાસેથી અગાઉથી લેવામાં આવેલી હતી અને તે મંજૂરીમાં જે રૂટ હતો ત્યાંથી જ યાત્રા આગળ વધીને સભા સ્થળે પહોચી હતી અને પ્રદેશ ભાજપમાંથી જે સૂચના આપવામાં આવી હતી તે મુજબની જ વ્યવસ્થા વાંકાનેરમાં કરવામાં આવી હતી અને યાત્રાના રુટમાં કોઈ ફેરફાર કરવામા આવ્યો નથી જેથી કરીને રૂટ બદલાવવાની જે વાતો કરવામાં આવી રહી છે તે પાયા વિહોણી છે






Latest News